પાકિસ્તાનની આખી એક પેઢી બરબાદ થઈ જશે: વર્લ્ડ કપ વિવાદ પર કપિલ દેવે નકવીની ધૂળ કાઢી નાખી

પાકિસ્તાનની આખી એક પેઢી બરબાદ થઈ જશે: વર્લ્ડ કપ વિવાદ પર કપિલ દેવે નકવીની ધૂળ કાઢી નાખી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

પાકિસ્તાને રવિવારના રોજ પુષ્ટિ કરી કે તે ટી20 વર્લ્ડ કપમાં ભાગ તો લેશે, પણ કોલંબોમાં 15 ફેબ્રુઆરીએ થનારી ભારત વિરુદ્ધની મેચનો બૉયકૉટ કરશે.

કપિલ દેવ
કપિલ દેવ

ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં થવાની હતી, પણ પાકિસ્તાની સરકારે આ મેચમાં રમવાની ના પાડી દીધી. ભારત-પાકિસ્તાનની મેચ ક્રિકેટની સૌથી મોટી રાઇવલરી છે, પણ મેદાન પર એક્શન પહેલાં જ માહોલ ગરમાઈ ગયો. હવે પાકિસ્તાનના આ નિર્ણય પર આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતના પૂર્વ કપ્તાન કપિલ દેવે પણ આવું જ રિએક્શન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ પગલું ભારત કરતાં વધારે પાકિસ્તાન માટે પોતાના ભવિષ્યને નુકસાન પહોંચાડનારું છે.

પાકિસ્તાને રવિવારના રોજ પુષ્ટિ કરી કે તે ટી20 વર્લ્ડ કપમાં ભાગ તો લેશે, પણ કોલંબોમાં 15 ફેબ્રુઆરીએ થનારી ભારત વિરુદ્ધની મેચનો બૉયકૉટ કરશે. આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે આઈસીસીએ બાંગ્લાદેશની આ માગને ફગાવી દીધી, જેમાં ભારતથી બહાર મેચ શિફ્ટ કરવાની વાત કહી હતી.

એક મીડિયા સાથે વાત કરતા કપિલ દેવે પાકિસ્તાનના વલણ પર ખુલીને પોતાની વાત રજૂ કરી. 1983 વર્લ્ડ કપ વિજેતા કપ્તાને કહ્યું કે આ મામલો રાજનીતિ અથવા છબિ સુધી મર્યાદિત નથી, પણ તેની સીધી અસર યુવાન ક્રિકેટરોના કરિયરને પ્રભાવિત કરે છે.

તેમણે કહ્યું કે, જો આ નિર્ણય ખેલાડીઓએ લીધો છે, તો તેઓ સામે આવીને કહી શકે છે. પણ જો બોર્ડ એવું કહે કે તમે નહીં રમો, તો તેનાથી દેશની સાખ નીચે જાય છે. તેમણે આગળ ચેતવણી આપી કે વારંવાર પાછળ હટવા અને બહિષ્કાર કરવાથી પાકિસ્તાન ક્રિકેટ વેરવિખેર થઈ જશે. પાકિસ્તાન માટે સ્થિતિ કપરી છે. તમે એક આખી પેઢીને ખતમ કરી રહ્યા છો.

આ બહિષ્કારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને અસહજ સ્થિતિમાં નાખી દીધું છે. ભારત-પાકિસ્તાનની મેચને આઈસીસી ટૂર્નામેન્ટ્સની વ્યાવસાયિક કરોડરજ્જૂ માને છે અને હંમેશા પ્રસારણ રેવન્યૂનો મોટો ભાગ તેમાંથી જ આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *