‘દો દિવાને સહર મેં’ મૂવી જોવા જવાનો પ્લાન છે? પહેલાં આ રિવ્યૂ વાંચી લેજો, નહીં તો…

‘દો દિવાને સહર મેં’ મૂવી જોવા જવાનો પ્લાન છે? પહેલાં આ રિવ્યૂ વાંચી લેજો, નહીં તો…

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Do Deewane Seher Mein Overview: ફિલ્મ ‘દો દીવાને સહર મેં’ આજે એટલે કે શુક્રવારનાં રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર અભિનીત આ એક રોમેન્ટિક ફિલ્મ છે. તો તમે પણ ખાસ વાંચી લો આ મૂવી રિવ્યૂ.

Image: Social Media
Picture: Social Media

ઝી સ્ટૂડિયોઝ અને ભણસાલી પ્રોડક્શનની નવી ફિલ્મ ‘દો દીવાને સહર મેં’ ને લઈને સોશિયલ મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદી પહેલીવાર એકસાથે સ્ક્રીન પર જોવા મળી રહ્યાં છે. આ બન્નેની જોડી ઇમ્પર્ફેક્ટ છે. આ લવ સ્ટોરી જોવા માટે ફેન્સ સુપર એક્સાઇટેડ છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મની કહાનીમાં એક અલગ જ ચમક હોય છે અને આ ફિલ્મમાં રોમાન્સ પણ બિલકુલ અલગ હોય છે. ફિલ્મમાં લીડ એક્ટર્સની ગજબની કેમેસ્ટ્રી બતાવવામાં આવી છે.

ફિલ્મની કહાની

કહાનીમાં શશાંક છે, જે એક જવાન અને વર્કિંગ પ્રોફેશનલ છોકરો હોય છે જેની પાસે બધું જ હોય છે. બસ બોલવામાં એક કમી હોય છે, એ શ ને સ બોલે છે. આ કારણે સામાન્ય પબ્લિકની વચ્ચે બોલતા મનમાં ખચકાટ અનુભવે છે. બીજી બાજુ રોશની નામની એક મોટી કોન્ફિડન્ટ છોકરી હોય છે. જો કે આ થોડી ઇનસિક્યોર હોય છે. તેને લાગે છે કે તેની મોટી બહેન નૈના (સંદીપ ઘર) જેટલી સુંદર નથી. ખૂબસુરતીને કાળા મોટા ફ્રેમનાં ચશ્માથી છુપાવે છે.

રોશની પ્રેમમાં બે વર્ષ પહેલાં ભાંગી પડી હોય છે. આ કારણે પ્રેમની આશા જ છોડી દીધી હોય છે. આ કારણે રોશની એ બધા છોકરાઓને રિજેક્ટ કરે છે કે જેમની માતા છોકરાઓને જબરજસ્તીથી હાજર કરે છે. રોશનીને લાગે છે કે ભારતમાં મોટાભાગનાં લગ્ન પ્રેમથી નહીં, પરંતુ મજબૂરીથી થાય છે.

કહાનીમાં ત્યારે ટ્વિસ્ટ આવે છે જ્યારે રોશની અને શશાંક મળે છે. બે અલગ લોકો, પોતપોતાની કમી, ઇનસિક્યોરિટી સામે ઝઝૂમતા હોય છે. રોશનીને શશાંક પહેલી મુલાકાતમાં જ ગમી જાય છે. આમ, તમારે આગળની આ લવ સ્ટોરી જોવા માટે ફિલ્મ જોવી પડશે. રવિ ઉદિયવારનાં ડાયરેક્શનમાં બનેલી અને અભિરુચિ ચંદની સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સની સાથે દો દીવાને સહર મેં ભલે રોમેન્ટિક જોનરને કોઈ નવી ઓળખાણ ન આપે, પરંતુ આ પ્રેમની તલાશમાં સાચા રહેવા માટે ખરી ઉતરે છે.

સ્ક્રીનપ્લે એવી લખવામાં આવી છે કે જેમાં કોઈપણ પ્રકારનો ડ્રામા વધારે નથી, પરંતુ આમાં ભાવનાઓને વધારે વજન આપવામાં આવ્યું છે અને પોતાની વાતને અસરદાર રીતે કહે છે. આ ફિલ્મનો ફર્સ્ટ હાફ સ્લો છે. મ્યૂઝિક સાંભળવાની મજા આવે એવું છે. ફિલ્મનાં સોન્ગ રિફ્રેશિંગ વાઇબ આપે છે.

કેમ આ ફિલ્મ જોવી જોઈએ?

દો દીવાને સહર મેં મસ્ત લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ એ વાત પર તમને લઈ જાય છે જે તમે પહેલાંથી જાણો જ છો, જેમાં તમારા વિશે અને સાથે-સાથે આસપાસનાં લોકો વિશે. આમ, આ કારણોસર સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની આ ફિલ્મ ખાસ જોવી જોઈએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *