હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં માવઠાનું ફરીથી સંકટ તોળાઈ રહ્યું છે. પૂર્વ અને મધ્ય ગુજરાતમાં માવઠાની વધારે સંભાવના છે. ગુજરાતમાં આજે 31મીની રાતથી બીજી ફેબ્રુઆરીની રાત સુધી માવઠાની શક્યતા રહેવાની વધારે આગાહી છે. ભેજવાળી હવા ગુજરાત પર આવી રહી છે. આવતી કાલથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતને પ્રભાવિત કરશે. જોકે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતને પ્રભાવિત કરશે. આ વિક્ષેપ મજબૂત નહીં હોય. આને કારણે હળવો વરસાદ ઉત્તર પૂર્વી, પૂર્વી અને મધ્ય ગુજરાતમાં આવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, ગુજરાતના 16 જિલ્લામાં માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. કાલથી ત્રણ દિવસ માવઠાનું જોખમ રહી શકે છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન પ્રમાણે, બીજી ફેબ્રુઆરીએ માવઠાની પ્રબળતા વધુ રહી શકે છે. દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત થઈ શકે છે. જેના કારણે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, ભાવનગર, સુરતમાં પણ માવઠાના એંધાણ છે. મોટા ભાગે સવારે અને સાંજે માવઠું થઈ શકે છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. (આજની તસવીર)

