Final Up to date:
અનંત અંબાણીએ 30મા જન્મદિવસ પહેલા જામનગરથી દ્વારકા સુધી 140 કિમીની પદયાત્રા શરૂ કરી છે. તેઓ દરરોજ 10-12 કિમી ચાલે છે અને દ્વારકાધીશના દર્શન સાથે જન્મદિવસ ઉજવશે.
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ તેમના 30મા જન્મદિવસ પહેલા જામનગરથી ભગવાન કૃષ્ણની ભૂમિ દ્વારકા માટે આધ્યાત્મિક યાત્રા (પદયાત્રા) શરૂ કરી છે. તેમની ભક્તિ અને આધ્યાત્મિકતા માટે જાણીતા અનંત અંબાણીએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે તેમનો જન્મદિવસ ઉજવવાનો સંકલ્પ કર્યો છે. 140 કિમીની આ પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે.
પદયાત્રાનો પાંચમો દિવસ
પત્રકારો સાથે વાત કરતા, અનંત અંબાણીએ જણાવ્યું કે તેઓ કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા હંમેશા ભગવાન દ્વારકાધીશને યાદ કરે છે. તેમણે કહ્યું, “આ પદયાત્રા જામનગરમાં અમારા ઘરથી દ્વારકા સુધીની છે. અમે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યા છે અને અમે બે-ચાર દિવસમાં દ્વારકા પહોંચીશું. મારી પદયાત્રા ચાલી રહી છે. ભગવાન દ્વારકાધીશ આપણને આશીર્વાદ આપે. હું યુવાનોને કહેવા માંગુ છું કે, ભગવાન દ્વારકાધીશમાં શ્રદ્ધા રાખો અને કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લો. તે કાર્ય ચોક્કસપણે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે અને જ્યારે ભગવાન હાજર હશે, ત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી.”
#WATCH | Devbhumi Dwarka, Gujarat: Anant Ambani, Director, Reliance Industries Restricted, is on a ‘Padyatra’ from Jamnagar to Dwarkadhish Temple
He says, “The padyatra is from our home in Jamnagar to Dwarka… It has been occurring for the final 5 days and we are going to attain in one other… pic.twitter.com/aujJyKYJDN— ANI (@ANI) April 1, 2025
જન્મદિવસે દ્વારકાધીશના કરશે દર્શન
અનંતે જામનગરના મોટી ખાવડીથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને તેમની સુરક્ષા અને સ્થાનિક પોલીસ સુરક્ષા હેઠળ દરરોજ રાત્રે 10-12 કિલોમીટરનું અંતર કાપે છે. તેઓ દ્વારકાધીશ મંદિરમાં પ્રાર્થના અને પ્રસાદ લઈને પોતાનો 30મો જન્મદિવસ ઉજવી શકે છે.
પાંચ દિવસથી રાતે 10થી 12 કિમી ચાલે છે
નોંધનીય છે કે, અનંત અંબાણી પગપાળા ચાલીને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી ખાવડી રિલાયન્સથી ચાલીને દ્વારકા જઈ રહ્યા છે. અનંત અંબાણી દરરોજ રાતે પોતાની સિક્યુરિટી અને સ્થાનિક પોલીસ બંદોબસ્ત વચ્ચે 10થી 12 કિમી ચાલે છે. જ્યારે રસ્તામાં આવતા મંદિરોના પણ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે અનંત અંબાણીની પદયાત્રાનો પાંચમો દિવસ છે. ત્યારે તેઓ 60 કિમી જેટલું અંતર કાપી ચૂક્યા છે. અનંતના જન્મદિવસે પોતે પગપાળા ચાલીને ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરી જન્મદિવસની ઉજવણી કરશે. વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાલા વડત્રા ખાતે અનંત અંબાણીનું ઋષિ કુમારો દ્વારા સંસ્કૃત શ્લોકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Jamnagar,Gujarat
April 01, 2025 10:10 AM IST

