‘ઘૂસખોર પંડત’નું બદલાશે નામ, બ્રાહ્મણ સમુદાયના વિરોધ પછી મેકર્સે લીધો નિર્ણય   

‘ઘૂસખોર પંડત’નું બદલાશે નામ, બ્રાહ્મણ સમુદાયના વિરોધ પછી મેકર્સે લીધો નિર્ણય  

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. જો કે અંતે મેકર્સે ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.

(Photo: Screengrab)
(Picture: Screengrab)

નેટફ્લિક્સ પર રિલીઝ થનારી મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ને લઈને અનેક વિવાદો ચાલી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે તેના રિલીઝ અને સ્ટ્રીમિંગ પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી. બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ અપમાનજનક શીર્ષકને લઈને નેટફ્લિક્સની ફિલ્મ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં વકીલ વિનીત જિંદલે આ અરજી દાખલ કરી હતી. અરજીમાં ફિલ્મના શીર્ષકને બ્રાહ્મણ સમુદાયની ગરિમા અને પ્રતિષ્ઠા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક બતાવ્યું હતું.

નેટફ્લિક્સ બદલશે ફિલ્મનું નામ?

નેટફ્લિક્સે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે ફિલ્મના મેકર્સ ‘ઘૂસખોર પંડત’ ફિલ્મનું નામ બદલશે. નેટફ્લિક્સના વકીલે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બધા પ્રમોશનલ મટીરિયલ પહેલાંથી જ હટાવી લેવામાં આવ્યા છે. આ સાથે કોર્ટે રિલીઝ થનારી નેટફ્લિક્સ ફિલ્મ “ઘૂસખોર પંડિત”ના રિલીઝ અને સ્ટ્રીમિંગ પર રોક લગાવવાની માગ કરતી અરજીનો નિકાલ કર્યો છે. અરજદારે આરોપ લગાવ્યો હતો કે, ફિલ્મનું શીર્ષક અને પ્રપોઝ્ડ કન્ટેન્ટ બદનામ કરનારું અને સાંપ્રદાયિક રીતે અપમાનજનક છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સંસ્થાએ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. ફિલ્મ મેકર્સે કમ્બાઇને નીરજ પાંડે અને નેટફ્લિક્સને ઓફિશિયલી રીતે નોટિસ મોકલીને ફિલ્મના નામ પર આપત્તિ વ્યક્ત કરી હતી. સંસ્થાનો દાવો છે કે મેકર્સે ઇન્ડસ્ટ્રીના નિયમો અનુસાર આ ટાઇટલ માટે કોઈ મંજૂરી લીધી નહોતી. ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશનના સદસ્ય હોવાને કારણે નીરજ પાંડે માટે ટાઇટલ રજિસ્ટાર કરાવવું અનિવાર્ય હતું. નોટિસમાં સ્પષ્ટ રીતે ચેતવણી આપવામાં આવી હતી કે તમે કોઈપણ અનુમતિ વગર આ ટાઇટલનો ઉપયોગ કરશો તો મેકર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

પંડત શબ્દનો ઉપયોગ કરીને કેમ ગુસ્સે છે?

ફિલ્મનું નામ ‘ઘૂસખોર પંડત’ સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચામાં છે. પંડિત શબ્દ સામાન્ય રીતે ધાર્મિક વિદ્વાન તેમજ પૂજારી માટે ઉપયોગ થાય છે. આ કારણે ઘુસખોર જેવા નકારાત્મક શબ્દ સાથે જોડવા પર નારાજગી વ્યક્ત કરી છે. જો કે જોતજોતામાં આ ફિલ્મના નામે એક ધાર્મિક અને સામાજિક વિવાદનું રૂપ લઈ લીધું છે. આમ, તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં મનોજ બાજપેયી લીડ રોલમાં છે. ફિલ્મમાં એક ભ્રષ્ટ પોલીસ અધિકારી છે. ફિલ્મમાં મનોજ બાજપેયી સિવાય નુસરત ભરુચા અને સાકિબ સલીમ પણ નજરે પડશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *