ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી ભાજપ સરકારના શાસનમાં સામાન્ય લોકોના જીવનમાં ભય, અન્યાય અને તકલીફો વધી છે. રાજ્ય આજે વિકાસના દાવાઓની પાછળ છુપાયેલા કડવા સત્યનો સામનો કરી રહ્યું છે. ગુજરાતની પ્રજાએ વિશ્વાસ અને આશાભેર સરકારને બહુમતી આપી હતી, પરંતુ આજે લોકો રોજગાર, ખેતી, શિક્ષણ, આરોગ્ય અને સલામતી જેવી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે. દરેક ગામમાં મનરેગા અને નલ સે જલ યોજનાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર જોવા મળે છે. ભાજપના નેતાઓએ નલ સે જલ યોજના ને નળ સે ધન યોજના બનાવી દીધી છે. આદિવાસી યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે, ખેડૂતો દેવામાં ડૂબ્યા છે, મહિલાઓની સુરક્ષા જોખમમાં છે. કોંગ્રેસ સરકાર આવશે તો ગુજરાતમાં એક ટીપું દારૂ વેચવા દેવામાં આવશે નહીં.

