બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલાનો કેસ હવે એક મોટા મુકામ પર આવી પહોંચ્યો છે. હવે જયરાજ આહીર અને નાજુ કામળિયા સહિત 5 આરોપીઓએ મહુવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. જેની સુનાવણી હવે છઠ્ઠી ફેબ્રુઆરી થવાની છે. સામાન્ય રીતે કોર્ટમાં જ્યારે જામીન અરજી થાય છે ત્યારે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થાય છે. મતલબ કે અહીં નવનીત બાલધીયાના પક્ષ તરફથી અને જયરાજ સહિતના આરોપીઓના વકીલ તરફથી કોર્ટમાં દલીલો કરવામાં આવશે.
Source link
