આ મામલે વધુમાં સમાજ આગેવાન ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, ‘હાલ આ વિવાદ શાંત થયો છે. ગઈકાલે કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર બંને ભાઈએ સમાજના આગેવાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં લવિંગજી, કેશાજી, અમૃતજી અને બધા આગેવાનો હાજર રહ્યા હતા અને તે સમયે જાહેર સભામાં તેઓએ ભૂલ સ્વીકારી છે, હવે જાબડિયા ગામના આગેવાનના નિર્ણય બાદ આ વિવાદ સમેટાઈ જશે. જોકે બંધારણમાં જરૂરી ફેરફાર જણાઈ રહ્યા છે એ એક વર્ષ સુધી તો એમને એમ જ યથાવત રહેશે, જો જરૂર પડે તો આવતા વર્ષે 4થી જાન્યુઆરી, 2027એ અમારા બંધારણના દિવસે તેમાં ફેરફાર કરીશું.

