18 ડિસેમ્બર, 2025 ના રોજ બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લાના વાલુકા/ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને કથિત રીતે ઈશનિંદાના આરોપમાં ટોળા દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી. ત્યારબાદ તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને બાળી નાખવામાં આવ્યો. આ હૃદયદ્રાવક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે, સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો અને દુ:ખ વ્યક્ત કર્યું છે.
જાહ્નવીએ એક પોસ્ટમાં કહ્યું કે કોઈપણ ધર્મ કે સમુદાય સામે હિંસાને વાજબી ઠેરવી શકાય નહીં. તેણીએ લખ્યું કે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા અત્યંત પીડાદાયક છે અને આવી ઘટનાઓ માનવતાને શર્મસાર કરે છે. અભિનેત્રીએ ગુનેગારો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.
જાહ્નવી કપૂરે એમ પણ કહ્યું કે વિશ્વના કોઈપણ ભાગમાં નફરત અને હિંસા માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. તેણીએ શાંતિ, માનવતા અને એકબીજા માટે આદરની અપીલ કરી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2025/12/25/jhanvi-kapoor-bangladesh-post-2025-12-25-18-37-01.jpg)
જાહ્નવી કપૂરે આ ઘટના વિશે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે બર્બરતાપૂર્ણ છે. આ નરસંહાર છે અને તે કોઈ અલગ ઘટના નથી. જો તમને આ અમાનવીય જાહેર લિંચિંગ વિશે ખબર નથી, તો તેના વિશે વાંચો, વીડિયો જુઓ, પ્રશ્નો પૂછો, અને જો આ બધા પછી તમને ગુસ્સો ના આવે તો આ પ્રકારનો દંભ આપણને સમજી શકીએ તે પહેલાં જ બરબાદ કરી દેશે. જ્યારે આપણા પોતાના ભાઈ-બહેનોને જીવતા સળગાવી દેવામાં આવે છે ત્યારે આપણે દુનિયાની બીજી બાજુ બનતી ઘટનાઓ પર રડતા રહીશું. આપણી માનવતા ભૂલીએ તે પહેલાં કોઈપણ સ્વરૂપમાં ઉગ્રવાદની નિંદા અને નાબૂદ થવી જોઈએ.”
20મા દિવસે પણ ‘ધુરંધર’નો જાદુ યથાવત, બોક્સ ઓફિસ પર રચી દીધો મોટો રેકોર્ડ
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સ જાહ્નવી માટે પોતાનો ટેકો વ્યક્ત કરી રહ્યા છે અને પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત દિયા મિર્ઝા, રવિના ટંડન, હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી અને ટીવી અભિનેત્રી ફલક નાઝે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
