આજથી CBSEની બોર્ડની પરીક્ષા, ગુજરાતમાં 75 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, આ વખતે શું ખાસ ધ્યાન રાખવું?

આજથી CBSEની બોર્ડની પરીક્ષા, ગુજરાતમાં 75 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, આ વખતે શું ખાસ ધ્યાન રાખવું?

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

રાજ્યમાં ધોરણ-10માં 45 હજારથી વધુ જ્યારે ધોરણ-12માં 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ-10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને 11 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ-12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 એપ્રિલના રોજ પૂર્ણ થશે.

દેશમાં આજથી CBSE બોર્ડ પરીક્ષાનો શુભારંભ
દેશમાં આજથી CBSE બોર્ડ પરીક્ષાનો શુભારંભ

અમદાવાદ: આજથી CBSE બોર્ડ પરીક્ષાઓ રાજ્યભરમાં શરૂ થઈ રહી છે. શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગે બોર્ડ પરીક્ષાઓ સુચારુરુપે પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દીધી છે. રાજ્યમાં અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓ આજે મહત્વપૂર્ણ પરીક્ષા આપશે.

રાજ્યમાં ધોરણ-10માં 45 હજારથી વધુ જ્યારે ધોરણ-12માં 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ-10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને 11 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ-12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 એપ્રિલના રોજ પૂર્ણ થશે.

અમદાવાદ શહેરની 85 શાળાઓમાંથી 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પરીક્ષા સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને વિદ્યાર્થીઓએ 10:00 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. 10 વાગ્યા બાદ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

દેશમાંથી ધોરણ 10 અને 12માં મળીને 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 માટે કુલ 2508319 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. જેમાં 1408546 વિદ્યાર્થી અને 1099773 વિદ્યાર્થિનીઓ સામેલ છે. ધોરણ 10 માટે પરીક્ષા માટે 8075 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ધોરણ 12 માટે કુલ 1859551 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં 1027552 વિદ્યાર્થી અને 831999 વિદ્યાર્થિઓ છે. ધોરણ 12ની પરીક્ષા માટે 7574 પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.

પરીક્ષા ખંડમાં શું ન લઇ જવું?

પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર, સ્માર્ટવોચ, બ્લૂટૂથ ડિવાઇસ, ઇયરફોન અને કેમેરા સખત પ્રતિબંધિત છે. વધુમાં, પર્સ, બેગ, પુસ્તકો અથવા અન્ય કોઈપણ છાપેલા અથવા હસ્તલિખિત દસ્તાવેજો પર પ્રતિબંધ છે. જો પકડાય તો કાર્યવાહી થઈ શકે છે.

પરીક્ષા ખંડની અંદરના મહત્વપૂર્ણ નિયમો

– પરીક્ષક દ્વારા પૂછવામાં આવે ત્યારે તમારે પ્રવેશ સમયે તમારું પ્રવેશપત્ર અને ઓળખપત્ર બતાવવું આવશ્યક છે.

– તમારી બેઠક લેતા પહેલા, કોઈપણ ગુમ થયેલ પેપર્સ અથવા સ્લિપ્સ માટે તમારી આસપાસ તપાસ કરો. જો તમને કોઈ મળે, તો તરત જ પરીક્ષકને જાણ કરો.

– તમારી ઉત્તરવહી પ્રાપ્ત કર્યા પછી પહેલા તેને તપાસો. ઉત્તરવહી ફાટેલી ન હોવી જોઈએ.

– OMR શીટ પર તમારો રોલ નંબર, વિષય કોડ અને અન્ય જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો.

– જો તમને કોઈ સમસ્યા આવે, તો તમારો હાથ ઊંચો કરો અને અવાજ કર્યા વિના પરીક્ષકને જાણ કરો.

– પરીક્ષાનો સમય પૂરો થાય તે પહેલાં તમારી બેઠક છોડશો નહીં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *