ખંભાળિયામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સલાયા ગેટ વિસ્તારમાં ગટરના ગંદા પાણી છલકાતા સ્થાનિકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર જાણે કુંભકર્ણની ઊંઘી રહ્યું હોય તેમ કોઈપણ પ્રકારના એક્શન લીધા ન હતા. આખરે ગટરના પાણી છલકાઈને સ્થાનિકોના ઘરમાં ફરી વળતા લોકોમાં રોષ ફેલાયો હતો. સાથે જ ગટરના પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ જોવા મળી હતી. આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે.
Source link
