અંબાજી અને આસપાસના પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા છે અને વાતાવરણમાં ઠંડીનો અહેસાસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળતા સ્થાનિક ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. મહત્વનું છે કે આ સમયે જો કમોસમી વરસાદ પડે તો ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ભીતિં સેવાઈ રહી છે. ત્યારે વાતાવરણમાં જોવા મળેલા આ પલટાને કારણે ચિંતામાં મૂકાઈ ગયા છે.
Source link
