બે દિવસ પહેલાં 3 પશુ પર હુમલો થયો અને હવે દીપડો પાંજરે પૂરાયો છે. અંકલેશ્વરના અવાદર ગામે દીપડાઓએ ફફડાટ ફેલાવ્યો હતો. એવામાં વન વિભાગના પ્રયાસથી એક દીપડો પાંજરે પૂરાયો છે. જોકે, ગ્રામજનોના દાવા પ્રમાણે હજુ કેટલાક દીપડા વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે. પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે 700થી વધુ લોકો દોડી આવ્યા. એક તરફ દીપડો પકડાઈ જવાથી ગ્રામજનોને હળવી રાહત મળી છે, જોકે, એક ખેડૂતે કહ્યું કે દીપડો દુઃખ આપતો હતો પરંતુ સાથે ખેડૂતોને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓથી થતા નુકસાનથી પણ બચાવતો હતો.
Source link
