Delhi Mumbai Expressway accident: બુધવારે વહેલી સવારે હરિદ્વારથી ઇન્દોર જઈ રહેલી એક ખાનગી બસ રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રેલર સાથે અથડાઈ અને રસ્તાની બાજુમાં ખાડામાં પડી હતી જેમાં ઓછામાં ઓછા સાત મુસાફરોના મોત થયા અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલવા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના રેસ્ટ એરિયા પાસે સવારે 2 થી 3 વાગ્યાની વચ્ચે આ અકસ્માત થયો હતો.
બસ ખાડામાં પડી ગઈ અને આગ લાગી
પોલીસે જણાવ્યું હતું કે ટ્રેલર સાથે અથડાયા પછી બસે કાબુ ગુમાવ્યો અને ખાડામાં પડી હતી. સમાચાર એજન્સી ANI અનુસાર અકસ્માત પછી તરત જ બસના પાછળના ભાગમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ટક્કર એટલી ગંભીર હતી કે ઉપરના બર્થ પર સૂતા મુસાફરો નીચે પટકાયા હતા. જેમાં ઘણા ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ
માહિતી મળતા જ પોલીસ એમ્બ્યુલન્સ અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ. સ્થાનિક લોકોની મદદથી, ઘાયલોને બસમાંથી બહાર કાઢીને દૌસા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ફેલાય તે પહેલાં કેટલાક મુસાફરો જાતે જ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ANIના અહેવાલ મુજબ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વધુ સારી સારવાર માટે ઉચ્ચ તબીબી કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.
Dausa, Rajasthan: A serious street accident befell on the Delhi–Mumbai Expressway beneath the Kolwa Police Station limits in Dausa district after a bus and a truck collided head-on. Fireplace tenders from Dausa and Bandikui rushed to the spot and introduced the blaze beneath management, whereas… pic.twitter.com/kxGvE7LaEJ
— IANS (@ians_india) July 1, 2026
2 લોકોના મોત, દૌસાના ASP
દૌસાના ASP યોગેન્દ્ર ફૌજદારે જણાવ્યું હતું કે, “ઇન્દોરથી હરિદ્વાર જતી બસ દિલ્હી હાઇવે પર એક રેસ્ટ સ્ટોપ પાસે ભયાનક અકસ્માતનો ભોગ બની હતી, જેમાં બે મુસાફરોના મોત થયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા. SP અન્ય અધિકારીઓ સાથે ઘટનાસ્થળે હાજર છે. બસમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.”
આ પણ વાંચોઃ- કોર્ટમાં બે વકીલોએ સિયા ગોયલના પ્રતિનિધિ હોવાનો દાવો કર્યો, એક વકીલે સિયાના ભાઈને 10 કરોડની માનહાનિની નોટિસ મોકલી
પોલીસે તપાસ શરૂ કરી છે
ઘટનાના પગલે એસપીથી લઈને ઉચ્ચ અધિકારીઓએ સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોકટરોને યોગ્ય તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
પોલીસે બસ અને ટ્રેલરને કબજે કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ટ્રેલર સાથે અથડાયા બાદ બસે કાબુ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિક થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો.
