જોકે, નામ ન છાપવાની શરતે મૃતક માનવેન્દ્ર સિંહના એક પડોશીએ જણાવ્યું કે, “19 ફેબ્રુઆરીએ માનવેન્દ્ર સિંહ ઘરે આવ્યા ત્યારે તેમનો તેમના દીકરા અક્ષત સાથે ઝઘડો થયો હતો. કારણ કે ઘરમાં રાખેલા 50 લાખ રૂપિયામાંથી કેટલાક રૂપિયા ગાયબ હતા.” તેમણે જણાવ્યું કે, “અક્ષતે દારૂના ઠેકાનું લાયસન્સ રિન્યૂ કરાવવાના પૈસા ક્યાંક વાપરી નાખ્યા હતા. જેથી ગુસ્સામાં લાલઘૂમ માનવેન્દ્ર સિંહે દીકરા અક્ષતને ઝાપટ મારી હતી અને રૂમમાં રાખેલી રાઇફલ તેના કપાળ પર તાકી દીધી હતી. આ પૈસા દારૂના ઠેકાની પરમિશનને રિન્યૂ કરાવવા માટે ઘરમાં રાખવામાં આવ્યા હતા, જેની ઓનલાઇન અરજી 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થવાની હતી.”

