Amit Shah in Lok Sabha : લોકસભામાં મહિલા અનામત અને પરિસીમન પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ભારતના રાજ્યોની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અમિત શાહે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળ એમ પાંચ દક્ષિણ રાજ્યોના નામ લઇને સમજાવ્યું કે પરીસિમન પછી કયા રાજ્યમાં કેટલી બેઠકો હશે.
લોકસભામાં પ્રિયંકા ગાંધીના ભાષણ પછી બોલતા અમિત શાહે કહ્યું કે એક મોટો નેરેટિવ ઉભો કરવામાં આવી રહ્યો છે કે આ ત્રણ બિલ રજૂ થવાથી લોકસભામાં દક્ષિણની તાકાત ઓછી થશે અને દક્ષિણના રાજ્યોને મોટું નુકસાન થશે. હું બિંલને પ્રેક્ટિકલ રીતે સમજાવવા માંગુ છું.
અમિત શાહે કહ્યું કે તેઓ ત્રણેય બિલો વિશે ચોક્કસ મુદ્દાઓ પર વાત કરવા અને સ્પષ્ટતા કરવા માંગે છે કારણ કે તેઓ ઇચ્છતા નથી કે કોઈ પણ વ્યક્તિ મૂંઝવણમાં રાત પસાર કરે.
અમિત શાહે દક્ષિણના રાજ્યોના આંકડા આપ્યા
આંકડા રજૂ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે કર્ણાટકમાં હાલમાં લોકસભામાં 28 બેઠકો છે, જે ગૃહનું 5.15% પ્રતિનિધિત્વ કરે છે. સીમાંકન પછી બેઠકોની સંખ્યા વધીને 42 થશે, જે ગૃહનું 5.14% પ્રતિનિધિત્વ થઇ જશે. કર્ણાટકને થોડું પણ નુકસાન થશે નહીં.
આંધ્ર પ્રદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે આંધ્ર પ્રદેશમાં 25 બેઠકો છે જે ગૃહનું 4.6percentનું પ્રતિનિધિત્વ કરે છે અને પરીસિમન પછી તેમાં 38 સાંસદો હશે જે ગૃહનું 4.65percentનું પ્રતિનિધિત્વ કરે છે.
તમિલનાડુ વિશે અમિત શાહે કહ્યું કે હાલ લોકસભામાં તમિલનાડુમાં સાંસદોની સંખ્યા 39 છે અને તેનું પ્રતિનિધિત્વ 7.18 ટકા છે. નવા પરિસીમન પછી વધીને 59 થશે અને ભાગીદારી 7.18% થી વધીને 7.23% થશે.
લોકસભામાં પીએમ મોદીએ કહ્યું – પરિસીમન પર કોઈ રાજ્ય સાથે ભેદભાવ નહીં, આ મારી ગેરંટી
કેરળ વિશે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે હાલ કેરળમાં લોકસભા સાંસદોની સંખ્યા 20 સીટ છે અને તેની ભાગીદારી 3.68% ટકા છે. પરીસિમન લાગુ થયા પછી કેરળની સીટો 30 થઇ જશે અને ભાગીદારી 3.67% થઇ જશે.
There might be no injustice to any southern state in delimitation. Talking within the Lok Sabha.
https://t.co/1gBaGb8Vuj— Amit Shah (@AmitShah) April 16, 2026
તેલંગાણામાં વિશે અમિત શાહે કહ્યું કે હાલમાં ત્યાં 17 બેઠકો છે, જે લોકસભાની સંખ્યાના 3.13% છે. આ સંખ્યા વધીને 26 થશે, જે લોકસભાની ભાગીદારી 3.18% થઇ જશે.
અમિત શાહે જણાવ્યું હતું કે કુલ મળીને દક્ષિણના રાજ્યોમાં 543 સભ્યોની લોકસભામાં 129 સાંસદો છે, દક્ષિણના રાજ્યોની ભાગીદારી 23.76% છે. પરિસીમન પછી લોકસભામાં 195 બેઠકો થઇ જશે, જે પછી પ્રતિનિધિત્વ 23.97% થશે. તેમણે કહ્યું કે દક્ષિણનું પ્રતિનિધિત્વ નીચે નહીં પણ ઉપર જઈ રહ્યું છે.
