Qatar Gasoline Plant Blast : કતરના રાસ લફાન ઔદ્યોગિક શહેરમાં એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા 13 લોકોમાં બાર ભારતીયોનો સમાવેશ થાય છે. દોહામાં ભારતીય દૂતાવાસે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કતરના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે રવિવારે રાત્રે રાસ લફાનમાં થયેલા અકસ્માતમાં 12 ભારતીય નાગરિકોના મોત થયા છે.”
પોસ્ટમાં કતરના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે અને તેમની હાલત સ્થિર છે.
પોસ્ટમાં ઉમેર્યું હતું કે, “દૂતાવાસ કતરના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી આ ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત મોકલવામાં આવે તેની ખાતરી કરી શકાય.”
ભારતીય સમુદાય કતરમાં સૌથી મોટો પ્રવાસી જૂથ છે. 830,000 થી વધુ ભારતીય નાગરિકો કતરમાં વિવિધ ઉદ્યોગોમાં કામ કરે છે. રાસ લફાન કતરનું મુખ્ય કુદરતી ગેસ હબ છે, જે હજારો એન્જિનિયરો, ટેકનિશિયન અને કર્મચારીઓનું ઘર છે, જેમાંથી ઘણા ભારતીય છે.
💠କତାରରେ ରବିବାର ବିଳମ୍ବିତ ରାତିରେ ଏକ ଗ୍ୟାସ୍ କାରଖାନାରେ ବିସ୍ଫୋରଣ ଘଟି ଅନ୍ୟୁନ ୧୨ ଜଣ ଭାରତୀୟ ପ୍ରାଣ ହରାଇଛନ୍ତି ।
💠ଏହି ଘଟଣାରେ ଅନ୍ୟ କେତେକ କର୍ମଚାରୀ ଆହତ ହୋଇ ଚିକିତ୍ସିତ ହେଉଛନ୍ତି । କତାର କର୍ତ୍ତୃପକ୍ଷ ଏହି ଘଟଣାକୁ ସ୍ବୀକାର କରିଛନ୍ତି । #Qatarpic.twitter.com/aC1hyGbpRX— DD Information Odia (@DDNewsOdia) June 23, 2026
વિદેશ મંત્રી એસ. જયશંકરે આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે પીડિતો અને તેમના પરિવારો સાથે તેમની સંવેદના છે. વિદેશ મંત્રીએ જણાવ્યું કે દૂતાવાસ કતરના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
ટેકનિકલ ખામીને કારણે વિસ્ફોટ
કતરના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે રવિવારે સાંજે રાસ લાફાન ઔદ્યોગિક શહેરમાં બરઝાન સ્થાનિક ગેસ સપ્લાય પ્લાન્ટમાં ટેકનિકલ ખામીને કારણે થયેલા વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા અને 66 અન્ય ઘાયલ થયા. મંત્રાલયે જણાવ્યું કે આગ લાગ્યા પછી તરત જ સુરક્ષા અધિકારીઓએ રાસ લાફાનમાં બચાવ કામગીરી શરૂ કરી.
મંત્રાલયે જણાવ્યું કે અધિકારીઓ ઘટનાના ચોક્કસ ટેકનિકલ કારણની તપાસ કરી રહ્યા છે અને આસપાસના તમામ સંજોગોની વિગતો એકત્રિત કરી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે અકસ્માતથી કોઈ લીકેજ થયું નથી અને આસપાસના લોકો કે પર્યાવરણની સલામતી માટે કોઈ ખતરો નથી.
આ પણ વાંચોઃ- પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે UAE ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદશે, આકાશ એર ડિફેન્સની ડીલને લઇનેપણ વાતચીત
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દોહાના ઘણા ભાગોમાં સંભળાયો. મીડિયા અહેવાલો અનુસાર ઘાયલોમાં ભારત, કતર, તાંઝાનિયા, પાકિસ્તાન, ગિની, નેપાળ, બાંગ્લાદેશ અને નાઇજીરીયાના લોકોનો સમાવેશ થાય છે.
