રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
Tripathi Surname Historical past : સુપ્રસિદ્ધ કલાકાર પંકજ ત્રિપાઠીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો – Gujarati Information | Know the which means and historical past of the surname Tripathi – Know the which means and historical past of the surname Tripathi
ત્રિપાઠી એક પ્રતિષ્ઠિત અને પ્રાચીન બ્રાહ્મણ સમુદાયમાં વપરાતી અટક છે, જે ખાસ કરીને ભારતના ઉત્તર ભારતીય રાજ્યો – જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ વગેરેમાં જોવા મળે છે.
1 / 9
ત્રિપાઠી શબ્દ સંસ્કૃત મૂળનો છે અને તે બે શબ્દોથી બનેલો છે. ત્રિ એટલે ત્રણ અને પાઠી એટલે જે વાંચે છે. અભ્યાસ કરે છે. ત્રિપાઠી નો અર્થ છે – એક વ્યક્તિ જેણે ત્રણ વેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ) નો અભ્યાસ કર્યો છે.
2 / 9
ક્યારેક ત્રિપાઠીને “તીન પાઠી” પણ કહેવામાં આવે છે, એટલે કે ત્રણેય વેદોની સારી રીતે જાણકારી ધરાવતો વ્યક્તિ છે.
3 / 9
ત્રિપાઠી બ્રાહ્મણોને વિદ્વાન, પૂજારી, પંડિત અથવા ધાર્મિક વિધિઓમાં નિષ્ણાત માનવામાં આવે છે. પરંપરાગત રીતે આ લોકો યજ્ઞ, પૂજા, વેદ અભ્યાસ અને શિક્ષણ સાથે સંકળાયેલા છે.
4 / 9
પ્રાચીન સમયમાં બ્રાહ્મણોને વેદોના જ્ઞાનના આધારે તેમના અટક લખવામાં આવે છે. જે લોકો એક વેદની જાણતા હતા તેને પાઠી કહેવાય છે. જ્યારે બે વેદની જાણતા લોકોને દ્વિવેદી કહેવાય છે.
5 / 9
જે વ્યક્તિને ત્રણ વેદની જાણકારી હોય છે તેને ત્રિપાઠી કહેવાય છે. તેમજ જે વ્યક્તિને ચાર વેદની જાણકારી હોય છે તેને ચતુર્વેદી કહેવામાં આવે છે.
6 / 9
ત્રિપાઠી બ્રાહ્મણો વિવિધ ગોત્ર આવેલા છે. જેમાં ભારદ્વાજ ગોત્ર, કશ્યપ ગોત્ર, વશિષ્ઠ ગોત્ર, ગૌતમ ગોત્ર વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં જોવા મળે છે.
7 / 9
ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ત્રિપાઠી સમુદાયના લોકો વસવાટ કરે છે. નેપાળમાં ત્રિપાઠી બ્રાહ્મણો પણ જોવા મળે છે.
8 / 9
ત્રિપાઠી બ્રાહ્મણ સમુદાયે વેદ, પુરાણો, તત્વજ્ઞાન, જ્યોતિષ, આયુર્વેદ વગેરેમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની ઓળખ વિદ્વતા, ઉપાસના અને નૈતિક મૂલ્યો સાથે સંકળાયેલી છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
9 / 9
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.