રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
જો તમે અંકુરિત એટલે કે ફણગાવેલા લીલા મગનું સેવન કરી રહ્યા છો, તો આવા ઘણા ફાયદા છે જે તમારા શરીરને સ્વસ્થ બનાવવામાં ઉપયોગી છે. લીલા મગના સેવનથી શરીરમાં રહેલા અનેક પ્રકારના રોગો દૂર થાય છે. ચાલો જાણીએ કે અંકુરિત મગનું સેવન કરવાથી તમારા માટે શારીરિક ફાયદા શું છે.
1 / 11
ડાયાબિટીસ નિયંત્રિત કરે છે : તમને જણાવી દઈએ કે ફણગાવેલા લીલા મગનું સેવનથી ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. સુગરના દર્દીઓ માટે તે કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે જો ડાયાબિટીસના દર્દીઓ અંકુરિત ફણગાવેલા મગનું સેવન કરે છે, તો તેમાં બ્લડ સુગર લેવલને સંતુલિત કરવાની ક્ષમતા છે.
2 / 11
હૃદય રોગ સામે રક્ષણ પૂરું પાડે છે : હૃદયની બીમારીઓથી દૂર રહેવા માટે અંકુરિત ફણગાવેલા મગનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તેનું સેવન કરવાથી ગંભીર બીમારીઓને દૂર રાખી શકાય છે. જો તમે ફણગાવેલા મગનું સેવન કરો છો તો તમારૂ હૃદય સ્વસ્થ રહે છે.
3 / 11
પ્રજનન શક્તિને મજબૂત થાય છે : કહેવાય છે કે પરિણીત લોકોએ ફણગાવેલી મગનું સેવન કરવું જોઈએ. આ પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે. તેના સેવનથી શરીર અંદરથી ઉર્જાવાન રહે છે. તેથી જો તમે પ્રજનન ક્ષમતા જાળવી રાખવા માંગતા હોવ તો તેનું સેવન એક સારો વિકલ્પ છે.
4 / 11
ફોલેટનો સારો સ્રોત : ફણગાવેલા મગ સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરને ફોલેટ નામના પૌષ્ટિક તત્વની જરૂર હોય છે. તે માતાના પેટની અંદર બાળકને વિકસિત કરવાનું કામ પણ કરે છે. આવી સ્થિતિમાં, જો ગર્ભવતી મહિલાઓ ઇચ્છે તો તેઓ અઠવાડિયામાં બે વાર અંકુરિત ફણગાવેલા મગનું સેવન કરી શકે છે. પરંતુ તેનું સેવન કરતા પહેલા તેઓએ તેમના ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.
5 / 11
વજન ઘટાડવા માટે : જો તમારું વજન વધી ગયું છે, તો ફણગાવેલા મગ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. ફણગાવેલા મગનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક રહેશે. ફણગાવેલા મગનું સેવન તમારા શરીર પર ચરબી વધતા અટકાવે છે. વાસ્તવમાં તેના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેના કારણે વજન સંતુલિત રહે છે.
6 / 11
શિયાળાના કારણે શરદી, વાયરલ કફ જેવી બિમારીઓ થતી હોય છે ત્યારે આ પ્રકારના રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક ખાવાથી ઘણો ફાયદો થાય છે. ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ, અને વીટામિન્સની માત્રા ખુબ પ્રમાણમાં રહેલી હોય છે.
7 / 11
ઉચ્ચ પોષણ ગુણવત્તા : ફણગાવેલા મગમાં વિટામિન, મિનરલ અને પ્રોટીનની માત્રા નોંધપાત્ર હોય છે. મગની બીજથી મગનું સેવન કરતી વખતે તેમાં વિટામિન C અને વિટામિન B જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો વધુ ઉત્પન્ન થાય છે.
8 / 11
ફણગાવેલા મગમાં ઉચ્ચ ફાઇબર ધરાવતાં હોવાથી પાચનતંત્રને મજબૂત બનાવે છે. આથી પાચન પરિપ્રક્રિયા વધારે મજબૂત અને સરળ બની રહી છે. ફણગાવેલા મગને ખાવાથી કબજિયાત અને ઍસિડિટીની સમસ્યાઓમાં રાહત મળે છે.
9 / 11
ફણગાવેલા મગમાં વધુ પ્રોટીન હોય છે, જે શરીર માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને મસલ્સના વિકાસ માટે. વેજીટેરીયન અને વેગન ડાયટિંગ માટે આ શ્રેષ્ઠ પ્રોટીન સોર્સ છે.
10 / 11
એન્ટીઑક્સીડન્ટ ગુણધર્મો ફણગાવેલા મગમાં વિટામિન C અને વિટામિન E હોય છે, જે સેલ્સના નુકસાનથી બચાવવાથી, એન્ટિ-ઑક્સીડેન્ટ ગુણધર્મોથી ભરપુર છે. આથી, તેનો ઉપયોગ શરીરમાં ફ્રિ-રેડિકલ્સને દૂર કરવામાં મદદરૂપ છે
11 / 11
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રના બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો