Ghee Well being Advantages: દરરોજ ઘી ખાવાથી વજન વધશે કે ઘટશે? મનમાં મૂંઝવણ હોય તો જાણી લો ડૉક્ટરની આ વાત

Ghee Well being Advantages: દરરોજ ઘી ખાવાથી વજન વધશે કે ઘટશે? મનમાં મૂંઝવણ હોય તો જાણી લો ડૉક્ટરની આ વાત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ભારતીય રસોડામાં ‘શુદ્ધ દેશી ઘી’ વગર ભોજન અધૂરું માનવામાં આવે છે. દાળમાં ઉપરથી ઘીનો તડકો હોય કે ગરમાગરમ રોટલી પર લગાવેલું, તે સ્વાદમાં અદભૂત વધારો કરે છે, પરંતુ આજના સમયમાં ફિટનેસ પ્રત્યે સભાન લોકો અવારનવાર મૂંઝવણમાં હોય છે કે, દરરોજ ઘી ખાવાથી વજન વધશે કે ઘટશે?

ઘીમાં હોય છે હેલ્ધી ફેટ!
ઘીમાં હોય છે હેલ્ધી ફેટ!

Ghee Well being Advantages: ભારતીય રસોડામાં ઘીનું ખાસ મહત્વ છે. દાળમાં એક ચમચી ઘી, ગરમ રોટલી પર ઘી અથવા ખીચડી સાથે ઘીનો સ્વાદ ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ઘરોમાં અવારનવાર એવું પણ કહેવામાં આવે છે કે, ઘી ખાવાથી શરીર મજબૂત બને છે. આ જ કારણ છે કે, કેટલાક લોકો તેને વજન ઘટાડવા સાથે પણ જોડી દે છે. જોકે, ઘી પોતે વજન ઘટાડવા માટેનો કોઈ જાદુઈ ઉપાય નથી. જો તેને દરરોજ વધુ માત્રામાં ખાવામાં આવે તો તે વજન વધવાનું કારણ પણ બની શકે છે.

લોકલ 18 સાથેની વાતચીત દરમિયાન ડો. રાજકુમાર (આયુષ)એ જણાવ્યું કે, ઘીમાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. એક ચમચી ઘીમાં અંદાજે 120 કેલરી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ખોરાકમાં દરરોજ વધુ ઘી સામેલ કરે છે ત્યારે તેની કુલ કેલરી ઝડપથી વધી જાય છે. જો દિવસભરની પ્રવૃત્તિઓમાં તેટલી કેલરી ખર્ચ ન થાય તો, આ વધારાની ઉર્જા શરીરમાં ચરબી સ્વરૂપે જમા થવા લાગે છે. આ જ કારણ છે કે, વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહેલા લોકોએ ઘીની માત્રા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

ઘીમાં હોય છે હેલ્ધી ફેટ!

કેટલાક લોકો એવું પણ કહે છે કે, ઘીમાં હેલ્ધી ફેટ હોય છે અને તે મેટાબોલિઝમને તેજ કરવામાં મદદ કરે છે. આમાં અમુક અંશે સત્ય પણ છે. ઘીમાં વિટામિન A, D, E અને K જેવા ફેટ સોલ્યુબલ વિટામિન્સ જોવા મળે છે જે શરીર માટે જરૂરી હોય છે. આ પોષક તત્વો શરીરને ઉર્જા આપવા અને ઘણી જરૂરી પ્રક્રિયાઓને બહેતર બનાવવામાં મદદ કરે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, જેટલું વધારે ઘી ખાવામાં આવે તેટલો વધારે ફાયદો મળશે. દરેક વસ્તુની જેમ ઘીનું સેવન પણ સંતુલન સાથે કરવું જરૂરી છે.

શું છે વજન ઘટાડવાનો નિયમ?

વજન ઘટાડવાનો સૌથી મોટો નિયમ કેલરી બેલેન્સ છે. એટલે કે શરીરમાં જેટલી કેલરી જાય છે તેના કરતા વધારે કેલરી ખર્ચ કરવી જરૂરી હોય છે. જો કોઈ વ્યક્તિ દરરોજ પોતાના ખોરાકમાં ઘીની માત્રા વધારી દે છે, તો તેનો કુલ કેલરી ઇનટેક વધી જાય છે. આવા સંજોગોમાં વજન ઘટાડવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે. આ જ કારણ છે કે, ફક્ત ઘી ખાવાથી વજન ઓછું થવાની આશા રાખવી યોગ્ય માનવામાં આવતી નથી.

Disclaimer

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *