જુનાગઢ જિલ્લામાં શ્વાનનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. કેશોદ પંથકમાં છેલ્લા ચાર મહિનામાં 900 કેસ શ્વાન કરડવાના કેશોદ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ, ઓક્ટોબર મહિનાથી કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનામાં કેસોની સંખ્યા ચરમસીમાએ હતી. જોકે, જાન્યુઆરીમાં આંશિક ઘટાડો નોંધાયો છે, છતાં સ્થિતિ હજુ ગંભીર છે.
Source link
