અમેરિકામાં કેમ હોય છે લાકડાના મકાનો? જાણો ભારતની સરખામણીએ ત્યાં કેમ લોકપ્રિય છે આ ટ્રેન્ડ

અમેરિકામાં કેમ હોય છે લાકડાના મકાનો? જાણો ભારતની સરખામણીએ ત્યાં કેમ લોકપ્રિય છે આ ટ્રેન્ડ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Wood Homes Pattern: ભારતમાં જ્યારે પણ નવું ઘર બનાવવાની વાત આવે ત્યારે મજબૂત ઈંટો, રેતી અને સિમેન્ટ આપણી પહેલી પસંદ હોય છે. આપણે માનીએ છીએ કે, મકાન સદીઓ સુધી ટકવું જોઈએ, પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશમાં સ્થિતિ સાવ અલગ છે, ત્યાં મોટાભાગનાં મકાનો લાકડાના બનેલા હોય છે. જાણો બંને દેશોનાં મકાનોના તફાવત અંગે…

ભારતમાં લાકડાનાં ઘર આ કારણે બનતા નથી
ભારતમાં લાકડાનાં ઘર આ કારણે બનતા નથી

અમેરિકા અને ભારતની સરખામણી કરવામાં આવે તો, બંને દેશો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. અમેરિકામાં મોટાભાગના મકાનો લાકડામાંથી બનાવવામાં આવે છે, જ્યારે ભારતમાં ઈંટ, સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ વધુ થાય છે. અમેરિકામાં લાકડાનાં ઘરો હોવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. સૌથી પહેલા અમેરિકામાં જંગલોનું પ્રમાણ ઘણું મોટું છે, જેના કારણે ત્યાં ઉચ્ચ ગુણવત્તાનું લાકડું ખૂબ જ સસ્તા ભાવે મળી રહે છે. ભારતની સરખામણીએ ત્યાં લાકડાના મકાનો બનાવવા આર્થિક રીતે વધુ પરવડે તેવા છે. ત્યાં ‘સોફ્ટવુડ’નો ઉપયોગ થાય છે જે મજબૂત હોવાની સાથે લાંબા સમય સુધી ટકી રહે છે. ત્યારે ઘણા લોકોને સવાલ થાય છે કે, શું અમેરિકાની જેમ ભારતમાં પણ લાકડાનાં ઘર બનાવી શકાય?

ભારતમાં સારી ગુણવત્તાનું લાકડું મર્યાદિત અને મોંઘું હોય છે, તેથી ઈંટ અને કોંક્રિટમાંથી બનતા ઘરો આપણા માટે બેસ્ટ વિકલ્પ છે. અમેરિકામાં લાકડાના ઘર ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને અવારનવાર 2થી 4 અઠવાડિયામાં બનીને તૈયાર થઈ શકે છે. આનાથી મજૂરી ખર્ચ ઓછો થાય છે અને હાઉસિંગ ડેવલપમેન્ટ ઝડપી ગતિએ થાય છે. તો બીજી તરફ, ભારતમાં કોંક્રિટ સ્ટ્રક્ચર બનાવવામાં મહિનાઓ લાગી જાય છે, કારણ કે સિમેન્ટને સૂકાતા અને મજબૂત થવામાં સમય લાગે છે અને નિર્માણ પ્રક્રિયા પણ વધુ જટિલ હોય છે.

ભારતમાં લાકડાનાં ઘર આ કારણે બનતા નથી

લાકડું સ્વાભાવિક રીતે વળી શકે તેવું અને વજનમાં હલકું હોય છે, તેથી તેનાથી બનેલી ઇમારતો થોડી નમીને ભૂકંપના આંચકાઓને વધુ સારી રીતે સહન કરી શકે છે. આ જ કારણ છે કે, ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લાકડાના ઘર સુરક્ષિત માનવામાં આવે છે. તો બીજી બાજુ, કોંક્રિટના માળખા મજબૂત તો હોય છે, પણ ખૂબ જ કઠોર પણ હોય છે. તીવ્ર ભૂકંપ આવવા પર તેમાં તિરાડો પડવાનું અથવા ધરાશાયી થવાનું જોખમ વધી જાય છે. લાકડું કુદરતી ‘ઇન્સ્યુલેટર’ તરીકે કામ કરે છે, જેનાથી ઘરની અંદરનું તાપમાન સંતુલિત રહે છે. આવા ઘરો શિયાળામાં વધુ ગરમ અને ઉનાળામાં ઠંડા રહે છે. જોકે, ભારત જેવા ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવતા દેશોમાં ઉધઈનો ખતરો વધુ હોય છે, જે સમય જતાં લાકડાના માળખાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ઈંટ અને કોંક્રિટથી બનેલા ઘર ભેજ, જીવાત અને હવામાનની અસરો સામે વધુ ટકી શકે તેવા હોય છે. જોકે, ભારતમાં ઘરોને મિલકત માનવામાં આવે છે, તેથી લોકો એવા બાંધકામને પ્રાથમિકતા આપે છે જે મજબૂત હોય, ઓછી જાળવણી માંગે અને આગ સામે પણ વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *