Final Up to date:
હાલમાં તો સૌથી પ્રબળ દાવેદાર નામ સુનેત્રા પવારનું છે. અજિત પવારના પત્ની અને હાલમાં રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને પાર્ટીની અંદર વહિનીના નામથી ઓળખવામાં આવે છે.
Subsequent Deputy CM after Ajit Pawar Demise: મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત દાદાનું જવું એક એવી ખોટ પડી છે, જેને ભરવી પાર્ટી અથવા પરિવાર માટે આસાન નહીં હોય. બુધવારે થયેલા વિમાન દુર્ઘટના બાદ આજે જ્યારે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર થયા, તો સૌની નજર આ વાત પર આવીને અટકી છે કે હવે તેમની વારસો કોણ સંભાળશે? કોણ એનસીપીના કોટામાંથી મહારાષ્ટ્રના આગામી નાયબ મુખ્યમંત્રી બનશે? શું મહારાષ્ટ્રનું નાણા મંત્રાલય હવે કોઈ બીજા પાસે જશે કે પછી એનસીપી કોટામાંથી જે ડેપ્યુટી સીએમ બનશે તેને જ મળશે? અજિત પવાર ન ફક્ત નાણા મંત્રાલય સંભાળી રહ્યા હતા, પણ તેઓ મહાયુતિ સરકારના સૌથી મહત્ત્વના સ્તંભ હતા. હવે એનસીપી અજિત જૂથની અંદર ઉત્તરાધિકારીની જંગ અને સરકારમાં ખાલી થયેલા ડેપ્યુટી સીએમ પદને ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જાણો કોણ કોણ નામ ડેપ્યુટી સીએમની રેસમાં છે.
હાલમાં તો સૌથી પ્રબળ દાવેદાર નામ સુનેત્રા પવારનું છે. અજિત પવારના પત્ની અને હાલમાં રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને પાર્ટીની અંદર વહિનીના નામથી ઓળખવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનીલ તટકરે જેવા સિનિયર નેતાઓએ સુનેત્રા પવારના નામ પર શરુઆતી સહમતિ વ્યક્ત કરી દીધી છે. પાર્ટીનો એક મોટો વર્ગ માને છે કે બારામતીમાં પોતાની પકડ બનાવી રાખવા અને સહાનુભૂતિની લહેરનો લાભ ઉઠાવવા માટે સુનેત્રા પવારનું ડેપ્યુટી સીએમ બનવું સૌથી સુરક્ષિત વિકલ્પ હશે. તેઓ અજિત પવારની ખાલી થયેલી બારામતી વિધાનસભા સીટથી પેટાચૂંટણી લડી ધારાસભ્ય બની શકે છે.
અજિત પવારના મોટા દીકરા પાર્થ પવારે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેથી તેમને પરિવારના સ્વાભાવિક વારસ માનવામાં આવે છે, પણ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર અને પ્રશાસનિક અનુભવની કમી તેમની આડે આવી શકે છે. પાર્ટીના અમુક કાર્યકર્તાઓનું માનવું છે કે તેમને સંગઠનમાં મહત્ત્વનું પદ આપીને તૈયાર કરવા જોઈએ. પણ ડાયરેક્ટ ડેપ્યુટી સીએમની ખુરશી આપવી ઉતાવળ કહેવાશે. જો કે શરદ પવાર સાથે પરિવારના વધતા તાલમેલને જોતા પાર્થને મોટી જવાબદારી મળવાની સંભાવનાને નકારી શકાય નહીં.
રેસમાં સામેલ 5 મોટા ચહેરા
દિલ્હીની રાજનીતિમાં મજબૂત પકડ ધરાવનારા પ્રફુલ્લ પટેલ પાર્ટીના સંકટમોચક માનવામાં આવે છે. તેઓ ગઠબંધનના સહયોગીઓ ભાજપ અને શિવસેના-શિંદે જૂથની સાથે સમન્વય સાધવામાં માહેર છે. જો પાર્ટી પરિવાર બહારના ચહેરાની પસંદગી કરે તો પટેલ સૌથી વિશ્વાસું વિકલ્પ હોઈ શકે છે.
મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કદ્દાવર નેતા છગન ભુજબળ પાસે પ્રશાસનિક અનુભવનો ભંડાર છે. તેઓ આક્રમક વક્તા છે અને વિપક્ષને જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા પણ ધરાવે છે. જો કે તેમની વધતી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ તેમના માટે પડકાર બની શકે છે.
સુનીલ તટકરે સંગઠનના માણસ માનવામાં આવે છે. રાયગઢ અને કોંકણ વિસ્તારમાં તેમની જબરદસ્ત પકડ છે. તેઓ અજિત પવારના સૌથી વિશ્વાસુ સાથીઓમાંથી એક રહ્યા છે. તેઓ સરકાર અને સંગઠનની વચ્ચે સેતુનું કામ કરી શકે છે.
બીડથી આવતા ધનંજય મુંડે પાસે જબરદસ્ત જનસમર્થન છે. તેઓ અજિત પવારની કાર્યશૈલીની કાર્બન કોપી માનવામાં આવે છે. જો પાર્ટી કોઈ યુવાન અને ગતિશીલ નેતૃત્વની શોધ કરે છે તો મુંડે એક જબરદસ્ત વિકલ્પ સાબિત થઈ શકે છે.
શાંત સ્વભાવ અને ઊંડી કાનૂની સમજણ ધરાવતા વલ્સે પાટિલ પવાર પરિવારની ખૂબ જ નજીક છે. તેઓ પૂર્વ ગૃહ અને વિધાનસભા અધ્યક્ષ રહી ચુક્યા છે. સરકાર ચલાવવાની તેમની સમજ નિર્વિવાદ રહી છે.
ડેપ્યુટી સીએમ કોણ હશે, તેનો અંતિમ નિર્ણય મહાયુતિ સાથે સાથે એકનાથ શિંદે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ લેવામાં આવશે. ભાજપ નેતૃત્વ ઈચ્છે છે કે જે પણ વ્યક્તિ ડેપ્યુટી સીએમ બને, તે આગામી ચૂંટણી મત અપાવવાની ક્ષમતા ધરાવતો હોય. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની ટ્યૂનિંગ ખૂબ જ સારી હતી, આવા સમયે ફડણવીસ પણ પોતાની પસંદના કોઈ નામ પર મહોર લગાવી શકે છે.
Mumbai,Maharashtra

