ભારતીય રેલવે સતત યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરીના ઉદ્દેશથી નિયમોમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનરલ કોચમાં મુસાફરોની ભારે ભીડ એક મોટો પ્રશ્ન રહી છે, જ્યાં માત્ર 75 થી 80 બેઠકો હોવા છતાં 400થી વધુ મુસાફરો મુસાફરી કરતા હતાં. હવે રેલવેએ આ પરિસ્થિતિને સુધારવા માટે નવી પદ્ધતિ અમલમાં મૂકી છે.