ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળના ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ની અદભૂત સફળતાને યાદ કરે છે. આ દિવસ પાકિસ્તાન પર ભારતીય નૌકાદળની ઐતિહાસિક જીત અને દેશની દરિયાઈ શક્તિના મહત્વને દર્શાવે છે.
કહેવાય છે કે, “કોઈપણ દેશની સમૃદ્ધિનો માર્ગ સમુદ્રમાંથી પસાર થાય છે.” આ જ કારણ છે કે નૌકાદળની તાકાત વધારવા માટે દુનિયાભરમાં દોડધામ ચાલી રહી છે. ભારતીય નેવી પણ આ રેસમાં પાછળ નથી. તે પહેલેથી જ વિશ્વની સૌથી શક્તિશાળી નૌકાદળમાંની એક માનવામાં આવે છે અને આગામી વર્ષોમાં તેને વધુ અજેય બનાવવા માટે કામ ચાલી રહ્યું છે.
સરકાર નૌકાદળમાં આધુનિક યુદ્ધ જહાજો, અત્યાધુનિક સબમરીન અને એરક્રાફ્ટ કેરિયરનો સમાવેશ કરવાની યોજના બનાવી રહી છે. આગામી 10 વર્ષમાં 26 રાફેલ-એમ ફાઇટર એરક્રાફ્ટ, 3 સ્કોર્પિન સબમરીન અને 96 નવા જહાજો ભારતીય નૌકાદળનો ભાગ બનશે. તો ચાલો જાણીએ આવનારા દાયકામાં ભારતીય નૌસેના કેટલી મજબૂત અને અભેદ્ય બનવા જઈ રહી છે?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
ઓડિશાના પુરીમાં નેવી તાકાત બતાવશે
ઓડિશાના પુરીમાં નેવી ડેની ઉજવણી કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ, સબમરીન, જહાજો અને હેલિકોપ્ટર પુરી બ્લુ બીચના કિનારે તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. 15થી વધુ જહાજો, 40 થી વધુ એરક્રાફ્ટ, ઘણા હેલિકોપ્ટર, સબમરીન અને ડ્રોન તેમની શક્તિનું પ્રદર્શન કરશે. આ પછી લેસર અને ડ્રોન શો પણ થશે.
ભારતીય નૌકાદળ કેટલી મજબૂત છે?
ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2024 અનુસાર ભારતીય નૌકાદળ વિશ્વના 145 દેશોની યાદીમાં 8મા સ્થાને છે. તો પાડોશી દેશ પાકિસ્તાન 32મા સ્થાને છે. જો કે આ યાદીમાં રશિયા પછી ચીન બીજા સ્થાને છે. પરંતુ ભારતીય નૌકાદળ ડ્રેગનનો સામનો કરવા માટે મોટી તૈયારીઓ કરી રહી છે.
હાલમાં ભારતીય નૌકાદળ પાસે બે ઓપરેશનલ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત છે. ભારતીય નૌકાદળના વિનાશક યુદ્ધ જહાજોની સંખ્યા 12 છે. જ્યારે ભારતીય નૌકાદળ પાસે 18 સબમરીન છે. તેમાંથી 3 સબમરીન પરમાણુ મિસાઇલ ફાયર કરવામાં સક્ષમ છે – INS અરિહંત, INS અરિઘાટ અથવા S-3 અને S4.
INS અરિહંતને જુલાઈ 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 700 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યાંકોને હિટ કરી શકે છે. INS અરિઘાટ 2017માં નેવીમાં જોડાઈ હતી. તે 700 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યો પર પણ હુમલો કરી શકે છે. S4 નવેમ્બર 2021માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની લક્ષ્ય શ્રેણી પણ INS અરિઘાટ અને INS અરિહંત જેવી જ છે.
10 વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર
નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીનું કહેવું છે કે ભારતીય નૌકાદળને વધુ મજબૂત કરવા માટે 10 વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. તેમના મતે ફ્રાન્સ સાથે નેવી વેરિઅન્ટમાં 26 રાફેલ-એમ માટેનો સોદો ફાઈનલ થવાનો છે. ગયા વર્ષે એટલે કે જુલાઈ 2023માં સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સ પાસેથી રાફેલ-એમ જેટ ખરીદવાની મંજૂરી આપી હતી. જેને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે.
આ સાથે 3 સ્કોર્પિયન સબમરીન માટે ડીલ પર પણ વાતચીત અંતિમ તબક્કામાં છે. જેની પુષ્ટિ જાન્યુઆરી 2025 સુધીમાં થવાની શક્યતા છે. એટલું જ નહીં ભારતીય નૌકાદળમાં 96 જહાજ અને સબમરીનનો સમાવેશ કરવામાં આવશે. 62 જહાજ અને એક સબમરીન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ડિસેમ્બર 2025 સુધી દર મહિને એક જહાજ નેવલ ફ્લીટમાં સામેલ કરવામાં આવશે.
પ્રથમ સ્વદેશી સબમરીન પણ તૈનાત કરવામાં આવશે
જાણકારી અનુસાર સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીન 2036 સુધીમાં તૈનાત કરવામાં આવશે. ભારતમાં બનેલી આ પહેલી ન્યુક્લિયર પાવર્ડ સબમરીન હશે. તેના બાંધકામની મંજૂરી 2 મહિના પહેલા જ સરકાર તરફથી મળી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકવાર આ પહેલી સબમરીન કાર્યરત થઈ જશે તો બીજી સબમરીન પણ બે વર્ષમાં કાર્યરત થઈ જશે. ભારતીય નૌકાદળ આવી 6 સબમરીન બનાવશે.
પરમાણુ સંચાલિત સબમરીનની એક વિશેષતા એ છે કે તે લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. ભારતમાં હાલમાં ડીઝલ ઈલેક્ટ્રીક અને ડીઝલ સેમ્બ્રીન છે. ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનને બેટરી ચાર્જ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછું એક વખત સપાટી પર આવવું પડે છે. આ સમયગાળા દરમિયાન સબમરીન પર હુમલાનો ભય રહે છે.
