150 વર્ષ જૂનું મંદિર! ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજી અને તેમની છ બહેનોની અદભૂત કથા

150 વર્ષ જૂનું મંદિર! ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજી અને તેમની છ બહેનોની અદભૂત કથા

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

અમરેલી જિલ્લો પ્રાચીન મંદિરો અને પૌરાણિક લોકકથાઓ માટે જાણીતો જિલ્લો છે. સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ પાસે આવેલા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર આજે પણ ભક્તોની અડગ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ મંદિર આશરે 150 વર્ષથી વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે.

+

150

150 વર્ષ જૂનું ખોડિયાર માતાજીનું મંદિર

અમરેલી: અમરેલી જિલ્લામાં અનેક પ્રાચીન મંદિરો અને પવિત્ર સ્થાનો આવેલાં છે, જેની પાછળ અનોખો ઇતિહાસ અને લોકકથાઓ જોડાયેલી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા નાના મંદિરો હોય કે શહેરોમાં સ્થિત ભવ્ય દેવસ્થાનો, દરેક સ્થાન ભક્તોના અઢળક વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે. ઘણા મંદિરોની સ્થાપના પાછળ ઐતિહાસિક પ્રસંગો, સંતો-મહાત્માઓની સાધના અથવા ચમત્કારિક ઘટનાઓનો ઉલ્લેખ મળે છે. કેટલાક સ્થળો સદીઓ જૂના માનવામાં આવે છે. મંદિરો પાછળની લોકકથાઓ, પુરાણ પ્રસંગો અથવા ઐતિહાસિક ઘટનાઓના કારણે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે.

અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ પાસેના ડુંગર પર ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં ખોડિયાર માતા તેમના બહેનો સાથે બિરાજમાન છે. આ મંદિર કુદરતી સૌંદર્યમાં સ્થિત છે અને રોજ અહીં અનેક ભક્તો તેમની આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શન કરવા માટે આવે છે. ફક્ત અમરેલી જિલ્લો જ નહીં, પરંતુ દૂર દૂરથી પણ ભક્તો અહીં દર્શન કરવા માટે આવી પહોંચે છે. આ મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું હોવાનું માનવામાં આવે છે.

ચંદુપરી ગોસ્વામીએ જણાવ્યું કે આ મંદિર અત્યંત પૌરાણિક અને વર્ષો જૂનું છે. તેમના જણાવ્યા મુજબ, ગામની સ્થાપનાથી પહેલાં પણ આ ડુંગર પર રાજા મહારાજાઓના સમયમાં માતાજી બિરાજમાન હતી. સમય સાથે આ ડુંગર પર મંદિરનો વિકાસ કરવામાં આવ્યો. વિવિધ દાતાઓ અને ભક્તોના સહકારથી અહીંયા મોટા મંદિરનું નિર્માણ થયું છે. લોકમુખે સાંભળવા મળ્યું છે કે આ મંદિર લગભગ 150 વર્ષ જૂનું છે.

આ પણ વાંચો: ભારત જીત્યું અને નવસારી ઝૂમી ઉઠ્યું! ટાવર વિસ્તારમાં થયો રૂપિયાનો વરસાદ અને આતશબાજી

અહીં ઘણા શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે. લોકો વિવિધ માનતાઓ રાખે છે, જે ખોડિયાર માતાજી પૂરી કરે છે. અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના જ નહીં, પરંતુ દૂર દૂરથી પણ લોકો દર્શન કરવા આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ખોડિયાર માતાજી પોતાની છ બહેનો સાથે બિરાજમાન છે, જે તેને વિશેષ મહત્વ આપે છે. આ પ્રાચીન મંદિર ડુંગર વચ્ચે આવેલ છે, જે તેને એક રમણીય નજારો બનાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *