Final Up to date:
સમાચાર એજન્સી સાથે વાત કરતા અય્યરે જણાવ્યું કે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યો, તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા છે કે હું પાર્ટીનો સભ્ય છું. હું ગાંધીવાદી છું, નહેરુવાદી છું અને રાજીવવાદી પણ છું, પણ હું રાહુલિયન નથી.
Mani Shankar Aiyar On Rahul Gandhi: કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરે ફરી એક વાર વિવાદિત નિવેદન આપી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. કેરળ વિધાનસભા ચૂંટણીની ઠીક પહેલા પોતાની પાર્ટી પર પ્રહારો કર્યા છે. સાથે જ તેમણે રાહુલ ગાંધીને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે, પાર્ટી ઈચ્છે તો કાઢી મૂકે. હું રાજીખુશીથી જતો રહીશ, પણ લાત મારીશ જોરદાર. અય્યરે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના વખાણ કર્યા.
સમાચાર એજન્સી સાથે વાત કરતા અય્યરે જણાવ્યું કે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યો, તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા છે કે હું પાર્ટીનો સભ્ય છું. હું ગાંધીવાદી છું, નહેરુવાદી છું અને રાજીવવાદી પણ છું, પણ હું રાહુલિયન નથી. તેમણે ડો.બી.આર. આંબેડકરના જીવનનો હવાલો આપતા ખુદને પાર્ટીને એક એવો ભાગ ગણાવ્યો જે અલગ છે.
#WATCH तिरुवनंतपुरम, केरल: मणिशंकर अय्यर ने कहा, “…मैं कांग्रेस पार्टी में हूं, मैंने इसे छोड़ा नहीं है। अगर पवन खेड़ा मुझे निकालने वाले हैं, तो मैं खुशी-खुशी बाहर जाकर उनके पीछे लात मारूंगा।” pic.twitter.com/G0dqXYGjQY
— ANI_HindiNews (@AHindinews) February 16, 2026
અય્યરનો ગુસ્સો અહીંથી અટક્યો નહોતો. જ્યારે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ એવું કહ્યું હતું કે અય્યરને કોંગ્રેસ સાથે કંઈ લેવાદેવા નથી. તો અય્યરે વળતો જવાબ આપતા કહ્યું કે પવન ખેડા તો કઠપુતળી અને પોપટ છે. તેમણે કહ્યું કે, પવન ખેડા કોઈ પ્રવક્તા નથી, એ તો જયરામ જે શીખવાડે તે રટણ કરે છે. જો ખેડા મને કાઢી મૂકવાની હિમ્મત કરે તો હું બહાર જઈને તેમને સબક શીખવાડીશ.
અય્યરે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના ખૂબ વખાણ કર્યા અને ભવિષ્યવાણી કરી કે આગામી ચૂંટણીમાં ફરીથી ડાબેરી સરકાર જ સત્તામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે હું વિજયનના ચરણોમાં પડવા તૈયાર છું અને તેમને વિનંતિ કરું છું એ મશાલ પકડે જેને કોંગ્રેસે છોડી દીધી છે.
#WATCH तिरुवनंतपुरम, केरल: मणिशंकर अय्यर ने कहा, “डॉ. अंबेडकर की बायोग्राफी है-ए पार्ट अपार्ट। तो, मैं बस यही कह सकता हूं। राहुल गांधी भूल गए हैं कि मैं पार्टी का मेंबर हूं। इसलिए मैं गांधीवादी हूं, मैं नेहरूवादी हूं, मैं राजीववादी हूं लेकिन मैं राहुलवादी नहीं हूं।” pic.twitter.com/tL4xu9x9aA
— ANI_HindiNews (@AHindinews) February 16, 2026
અય્યરે કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલની તુલના સરદાર પટેલ સાથે થતાં નારાજગી વ્યક્ત કરી. તેને રાઉડી કહી દીધા. તેમણે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા માટે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને સૌથી મહત્ત્વનો ચહેરો ગણાવ્યા. કોંગ્રેસે સત્તાવાર રીતે આ નિવેદનને તેમના વ્યક્તિગત મત ગણાવી ખુદને અલગ કરી લીધું છે.
Feb 16, 2026 11:17 PM IST

