સ્વામિનારાયણ સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ ફેલાયો છે. જે અંતર્ગત દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ આજે દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત પંડા દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ માગણી પણ કરવામાં આવી હતી કે સંપ્રદાયના સાધુ દ્વારકા આવે અને દ્વારકાધીશ સામે નાક રગળે ત્યારે જ માફ કરાશે. ઉલ્લેખનીય સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મનાં દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી બાબતે કાળી પટ્ટી બાંધીને જગત મંદિર બહાર ગુગળી બ્રામ્હણો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
Source link
