ભારતમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવના વધવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જોકે આ મામલે સરકારી સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે કે દેશમાં હાલ કાચ્ચા તેલનો જથ્થો પુરતા પ્રમાણમાં છે. પેટ્રોલ, ડિઝલ અને ગેસના જથ્થાને લઈને ચિંતાને કોઈ સ્થાન નથી. સૂત્રો દ્વારા સરકાર એલપીજી અને એલએનજીના ગેસના મુખ્ય પુરવઠો આપનાર દેશો સાથે સતત સંપર્કમાં છે. તેલના ભાવમાં ઉતાર ચઢાવ થઈ શકે છે પણ તે અસહ્ય નહી હોય એટલે કે અતિશય વધારો નહી થાય. જેથી સામાન્ય વ્યક્તિએ હાલની સ્થિતિને જોતા ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
Source link
