બનાસકાંઠાના ખેડૂતો માટે ફરી એક વખત પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાભર તાલુકાના સનેસડા ગામની સીમમાં આવેલી માઇનોર-3 કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ઘુસી ગયું છે. કેનાલમાં વધુ પડતું પાણી છોડવામાં આવતા આ ઘટના બની હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. માહિતી મુજબ, કેનાલના ઓવરફ્લો થતાં કેનાલના પાણી ખેતરમાં ઊભેલા ઘઉંના પાક પર ફરી વળ્યું છે, જેના કારણે મોટા પ્રમાણમાં ઘઉંના પાકને નુકસાન થયું છે.
Source link
