અમદાવાદ: ગુજરાત રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થા જ્યારે સંવેદનશીલતા અને અત્યાધુનિક તબીબી કૌશલ્ય સાથે જોડાય છે, ત્યારે કેવા ચમત્કારો સર્જાય છે તેનો જીવંત પુરાવો અમદાવાદ સિવિલ હોસ્પિટલે પૂરો પાડ્યો છે. તબીબી ક્ષેત્રે ફેબ્રુઆરી 2026નો મહિનો બનાસકાંઠા અને અમદાવાદના બે અલગ-અલગ પરિવારો માટે કસોટીની એરણે હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે પોતાની પ્રતિબદ્ધતાથી બે નિર્દોષ બાળકોને નવી જિંદગીની ભેટ આપી છે, જેમાં એક કેસમાં ડોક્ટરોએ માત્ર એક વર્ષની બાળકીના પેટમાંથી એરગનની ગોળી, જ્યારે બીજા કેસમાં સામાન્ય પરિવારના માસૂમ દિકરાની શ્વાસનળીમાં ફસાયેલા પથ્થર કાઢી બે જીવ ઉગાર્યા છે.

