આ મંદિરને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક મંદિર પણ માનવામાં આવે છે. મીડિયા સૂત્રો અનુસાર, મંદિરની કુલ અંદાજિત સંપત્તિ 12,000 કરોડ કે તેથી વધુની છે. આ મંદિરમાં પદ્મનાભ સ્વામીની પૂજા થાય છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરની નીચેથી સોનું, હીરા, રત્નો અને ઘણી કિંમતી મૂર્તિઓ મળી આવી છે.