ભારત વિરોધી રહ્યો છે બીએનપીનો ઇતિહાસ, તારિક રહેમાનની માતાના શાસનમાં પૂર્વોત્તરમાં વધ્યો હતો ઉગ્રવાદ

ભારત વિરોધી રહ્યો છે બીએનપીનો ઇતિહાસ, તારિક રહેમાનની માતાના શાસનમાં પૂર્વોત્તરમાં વધ્યો હતો ઉગ્રવાદ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Bangladesh Election Outcomes 2026 Updates : બાંગ્લાદેશમાં બીએનપીની સરકાર બનાવશે તે નિશ્ચિત છે. બાંગ્લાદેશની ચૂંટણીમાં બીએનપીની કમાન તારિક રહેમાનના હાથમાં છે. બાંગ્લાદેશમાં બીએનપીએ આ પહેલા પણ સરકાર બનાવી ચુકી છે. તારિક રહેમાનની માતા ખાલિદા ઝિયા ત્રણ વખત બાંગ્લાદેશની કમાન સંભાળી ચૂક્યા છે. આ ચૂંટણી પહેલા જ ખાલિદા ઝિયાનું નિધન થયું હતું.

ખાલિદા ઝિયાના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ નીચા સ્તરે ગયા હતા. ત્યારે ભારત તરફથી બાંગ્લાદેશ પર પાકિસ્તાન માટે પ્રોક્સી તરીકે લડવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં ઉલ્ફા અને એનડીએફબી જેવા અલગતાવાદી જૂથો પણ ઉભરી આવ્યા હતા.

ખાલિદા ઝિયાના શાસન દરમિયાન ભારત-બાંગ્લાદેશના સંબંધો કેવા હતા

ખાલિદા ઝિયાના પતિ જનરલ ઝિયાઉર રહેમાનનો ઝુકાવ ચીન સિવાય પશ્ચિમ અને પાકિસ્તાન જેવા ઇસ્લામિક દેશો તરફ હતો. 1981માં જનરલ ઝિયાઉર રહેમાનની હત્યા પછી ખાલિદાએ બાંગ્લાદેશના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

ખાલિદા ઝિયા પ્રથમ વખત 1991માં બાંગ્લાદેશના વડા પ્રધાન બન્યા હતા. તે સમયે ચૂંટણી પહેલા બીએનપીની રેલીઓમાં એવું કહેવામાં આવ્યું હતું કે અવામી લીગ સરકાર બાંગ્લાદેશને ભારતને જંજીરોમાં જકડી દેશે. ભારત વિરુદ્ધ પ્રારંભિક વિરોધ વાળા નિર્ણયોમાં ઉત્તર-પૂર્વીય રાજ્યોને જમીન માર્ગે જવાની મંજૂરી ન આપવાનું પણ સામેલ હતું. તેઓએ કહ્યું કે આ બાંગ્લાદેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો છે.

ગંગા જળ વહેંચણી પર ભારત સાથે વાત ના બની

ફરક્કા બેરેજ અને ટ્રાન્ઝિટ પર તેમની સરકારના વલણે બાંગ્લાદેશમાં આ શબ્દ ફેલાવ્યો કે દેશના હિતોની રક્ષા માટે ભારતની વિનંતીને નકારી કાઢવી જરૂરી છે. 1976 માં શરૂ થયેલો ફરક્કા બેરેજ વિવાદ ખાલિદા ઝિયાના સમયમાં પણ ચાલુ રહ્યો, જ્યારે તે દરમિયાન બે તરફી સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ખાલિદા ઝિયાએ 1992 માં પાણીની વહેંચણીને લગતા મુદ્દાને ઉકેલવા માટે ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એક સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં સમાન અને લાંબા સમય સુધી પાણીની વહેંચણીના કરાર પર પહોંચવા માટે પરસ્પર પ્રયાસો પર સહમતિ સાધવામાં આવી હતી. શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગે આનો વિરોધ કર્યો હતો. જેમણે કહ્યું હતું કે તે ભારતથી પાણીનો એક મગ પણ લાવવામાં નિષ્ફળ ગયા છે.

બીજા કાર્યકાળમાં સંબંધો વધારે ખરાબ થયા

આનાથી ખાલિદા ઝિયા બેકફૂટ પર આવી ગયા અને તેમણે વધુ વાટાઘાટો પર હસ્તાક્ષર કરવાથી દૂર રહ્યા. આ પછી, જ્યારે 1996 માં શેખ હસીના સત્તામાં આવ્યા ત્યારે તેમણે ભારત સાથે ઐતિહાસિક ગંગા જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા. વર્ષ 2001માં જ્યારે ખાલિદા ઝિયા ફરી એકવાર સત્તામાં આવ્યા ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો લગભગ વધારે ખરાબ થયા હતા.

આ પણ વાંચો – બાંગ્લાદેશ ચૂંટણીમાં બીએનપીની એકતરફી જીત, પીએમ મોદીએ તારીક રહેમાનને પાઠવી શુભેચ્છાઓ

ત્યારે ભારતીય અધિકારીઓએ બાંગ્લાદેશ પર ઉત્તરપૂર્વમાં આતંકવાદી પ્રવૃત્તિઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો. આ સમય દરમિયાન કનેક્ટિવિટી અને પ્રાદેશિક સહકાર માટેના પ્રયાસો મોટાભાગે અટકી ગયા હતા. આ સિવાય ખાલિદા ઝિયાએ 1972ની ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ ટ્રીટીના રિન્યૂઅલનો પણ વિરોધ કર્યો હતો. તેમણે તેને બાંગ્લાદેશની સાર્વભૌમત્વની વિરુદ્ધ ગણાવ્યું હતું.

શું તારિક રહેમાન પણ તેમની માતાની જેમ ભારત વિરોધી વલણ અપનાવશે?

આ સવાલનો જવાબ આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ જો આપણે ચૂંટણી રેલીઓ દરમિયાન તેમના ભાષણો પર નજર કરીએ તો ખબર પડે છે કે જો તેઓ ભારતથી દૂર રહેશે તો તેઓ પાકિસ્તાનની નજીક પણ નહીં જાય. તારિક રહેમાને પોતાની ચૂંટણી રેલીઓમાં ‘ના દિલ્હી, ના પિંડી- ફક્ત ઢાકા’નો નારો આપ્યો હતો.

તારિક રહેમાન માટે ઘણા કારણોસર ભારત વિરોધી વલણ અપનાવવું સરળ રહેશે નહીં. આના ચાર મુખ્ય કારણો છે – બાંગ્લાદેશની ભૌગોલિક અને આર્થિક વાસ્તવિકતા, સુરક્ષા અને સરહદના મુદ્દાઓ, જળ અને નદી કરારો અને રાજદ્વારી સંતુલન.

બાંગ્લાદેશ ત્રણ બાજુથી ભારતથી ઘેરાયેલું છે. બંને દેશો રેલવે, રોડ અને જળમાર્ગો દ્વારા જોડાયેલા છે. આ સિવાય ચાર હજાર કિલોમીટરની સરહદ હોવાને કારણે બંને દેશોએ સરહદ વ્યવસ્થાપન, ગેરકાયદેસર દાણચોરી, આતંકવાદ અને રોહિંગ્યા શરણાર્થીઓ જેવા મુદ્દાઓ પર એકબીજાને સહયોગ આપવો જરૂરી છે.

પાણી સંબંધિત મુદ્દાઓ ઉપર પણ દ્વિપક્ષીય વાતચીત પર પણ નિર્ભર છે. બાંગ્લાદેશ માટે ભારતની અવગણના કરવી તે બિલકુલ વ્યવહારુ નથી. આ સિવાય જો તારિક રહેમાન ચીન, અમેરિકા અને અન્ય દેશોની ખૂબ નજીક જાય છે અને ભારતને બાજુ પર રાખવાનો પ્રયાસ કરે છે તો તે બાંગ્લાદેશના રાજદ્વારી સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. કોઈ પણ સરકાર સામાન્ય રીતે ‘સંતુલિત વિદેશ નીતિ’ અપનાવે છે, ત્યારે બાંગ્લાદેશ માટે ભારતની અવગણના કરવી સરળ રહેશે નહીં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *