જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, ટીમ ઇન્ડિયાની ધનુ લગ્નની કુંડળીમાં ભાગ્યેશ પોતે ભાગ્ય ભાવ પર દૃષ્ટિ રાખે છે, જેને મેચના દૃષ્ટિકોણે શુભ સંકેત માનવામાં આવે છે. સાથે જ દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ લગ્નેશ અને લાભ ભાવ પર પણ છે, જે ટીમ ઇન્ડિયાની મજબૂતી દર્શાવે છે. ગુરુ ગ્રહ બુધ, શુક્ર અને સૂર્યને પણ જોઈ રહ્યો છે. દશમ ભાવ, જે કર્મ, સત્તા અને પરાક્રમનું પ્રતિક છે, તેના પર પણ બૃહસ્પતિની દૃષ્ટિ છે. આ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે ભારતની જીતની પૂરી શક્યતા દેખાઈ રહી છે.

