ક્યાં દેખાશે અસર?- સેક્ટોરલ દ્રષ્ટિકોણથી, બ્રોકરેજ કહે છે કે, કેટલાક ક્ષેત્રો પ્રમાણમાં સલામત હોઈ શકે છે. અપસ્ટ્રીમ એનર્જી કંપનીઓ (જોકે ONGC જેવી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સની અસર થઈ શકે છે), હિન્ડાલ્કો જેવી મેટલ કંપનીઓ, IT ક્ષેત્ર (રૂપિયાની નબળાઈનો લાભ મેળવે છે, જોકે AI સંબંધિત ચિંતાઓ રહે છે), ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર અને ખાનગી બેંકો પ્રમાણમાં સારું પ્રદર્શન કરી શકે છે. એકંદરે, એમ્કે માને છે કે, જો સંઘર્ષ મર્યાદિત હોય તો બજારમાં તીવ્ર રિકવરી શક્ય છે, પરંતુ લાંબા સમય સુધી યુદ્ધ ભારતના અર્થતંત્ર માટે ગંભીર પડકારો ઉભા કરી શકે છે.

