અમરેલીના સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈન લાગી ગઈ હતી. અહિંયા એવી અફવા ફેલાઈ હતી કે યુદ્ધને કારણે પેટ્રોલના ભાવ વધી ગયા છે. જેથી લોકોએ પેટ્રોલ લેવા અને ભરવા માટે લોકો મોટી સંખ્યામાં અહિંયા પહોચી ગયા હતા. પરિસ્થિતિ અહિંયા એવી વણસી કે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવી પડી કે પેટ્રોલનો ભાવ વધ્યા નથી. સાથે જ પેટ્રોલ અને ડિઝલનો સ્ટોક જિલ્લામાં પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ખોટી અફવાઓથી દૂર રહેવું. જોકે આવો જ એક બનાવ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પણ સામે આવ્યો હતો. જેથી અફવાને કારણે પેટ્રોલ પંપ પર લોકોએ લાંબી લાઈન લગાવી દીધી હતી.
Source link
