Final Up to date:
દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર આવેલા પોતાના સત્તાવાર નિવાસસ્થાનની લોનમાં આજકાલ પ્રધાનમંત્રી દેશી-વિદેશી મહેમાનોને મળતા દેખાઈ રહ્યા છે. પણ આજે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમના પ્રસારણ દરમિયાન કરોડો છાત્રો અને તેમના પરિવારે જોયું કે, આ લોનમાં પીએમ મોદી સાથે કોઈ મોટી સેલિબ્રિટી નથી, પણ દેશના અલગ અલગ ભાગમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે દેખાયા હતા.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડ પરીક્ષા શરૂ થાય તે પહેલા આજે દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ખાસ કાર્યક્રમ ‘પરીક્ષા પર ચર્ચા’ દરમિયાન પીએમ મોદીએ ન ફક્ત અભ્યાસ અને પરીક્ષા સાથે જોડાયેલી શાનદાર ટિપ્સ બાળકોને આપી, પણ જીવનમાં કઈ વસ્તુઓ પર હંમેશા ધ્યાન આપવું જોઈએ, તેની પણ શિખામણ આપી હતી. મોદીની કોશિશ પરીક્ષાના બહાને નવી પેઢીને યોગ્ય દિશામાં લઈ જવાની છે.
દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર આવેલા પોતાના સત્તાવાર નિવાસસ્થાનની લોનમાં આજકાલ પ્રધાનમંત્રી દેશી-વિદેશી મહેમાનોને મળતા દેખાઈ રહ્યા છે. પણ આજે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમના પ્રસારણ દરમિયાન કરોડો છાત્રો અને તેમના પરિવારે જોયું કે, આ લોનમાં પીએમ મોદી સાથે કોઈ મોટી સેલિબ્રિટી નથી, પણ દેશના અલગ અલગ ભાગમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે દેખાયા હતા. ક્યારેય ઊભા રહીને, તો ક્યારેક બેસીને, તલ્લીનતાથી આ સ્કૂલી છાત્રો સાથે કલાકો સુધી ગપશપ કરતા રહ્યા. થીમ ભલે પરીક્ષા હોય, પણ પ્રધાનમંત્રીએ જીવન સાથે જોડાયેલા કેટલાય મહત્ત્વના વિષયો પર બાળકોને માર્ગદર્શન આપતા દેખાયા, તેઓ ક્યારેક હળવા અંદાજમાં પણ જોવા મળ્યા. વાતચીત સાંભળીને એવું લાગ્યું જાણે કોઈ ગાર્જિયન પોતાના બાળકોને સમજાવી રહ્યા હોય. એ પણ મિત્રતાના ભાવ સાથે.
પીએમ મોદીને સંવાદ કરવામાં મહારત મેળવેલી છે. સાર્વજનિક જીવનમાં છેલ્લા પાંચ દાયકા દરમ્યાન તેમની સફળતા આ વાતની સાક્ષી પુરે છે. પોતાની અનોખી શૈલી દ્વારા મોદી પહેલા ગુજરાત અને 2014થી દેશભરના લોકોનો વિશ્વાસ જીતતા આવ્યા છે અને પોતાની પ્રશાસનિક યાત્રાના 25માં વર્ષમાં પ્રવેશ કરી ચુક્યા છે.
પણ તેમની પ્રાથમિકતા ખાલી સત્તામાં રહેવાની નથી, ખાલી દેશના વિકાસ અથવા તેને આર્થિક મહાશક્તિ બનાવવાનો નથી, પણ સંસ્કારોનું સિંચન પણ કરવાનું છે, યુવા પેઢીને તૈયાર પણ કરવાની છે. આ વાત સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, જ્યારે પરીક્ષા પર ચર્ચા કરતા મોદીને લોકોએ પોતાના મોબાઈલ અથવા ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા હતા.
પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમના નવા સંસ્કરણનું પ્રસારણ આજે થયું. પણ આ સંસ્કરણ પહેલાના તમામ સંસ્કરણોથી કરતા શાનદાર અને પ્રાયોગિક, કિશોરોને પોતાનો વિશ્વાસ વધારનારો, પહેલાથી વધારે સમાવેશી હતો. આજે જેણે પણ આ કાર્યક્રમ જોયો, તે એ નહીં ભૂલી શકે કે કેવી રીતે મોદીએ એક દિવ્યાંગ છાત્રાને પોતાની સાથે લઈને આગળ વધી રહ્યા હતા. અથવા તો એ કે કેટલું જોઈ-વિચારીને દેશભરના અલગ અલગ ભાગના બાળકોને પોતાની સાથે સંવાદ માટે તેમણે બોલાવ્યા હતા.

