નાયક ફિલ્મ પછી રાજકીય પાર્ટીઓએ અનિલ કપૂરનો કર્યો હતો સંપર્ક, અભિનેતાએ આ કારણે ઓફર ઠુકરાવી દીધી હતી

નાયક ફિલ્મ પછી રાજકીય પાર્ટીઓએ અનિલ કપૂરનો કર્યો હતો સંપર્ક, અભિનેતાએ આ કારણે ઓફર ઠુકરાવી દીધી હતી

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Anil Kapoor : અનિલ કપૂરે બોલિવૂડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમાંની એક ફિલ્મ ‘નાયકઃ ધ રિયલ હીરો’ હતી, જેમાં તેમણે એક ન્યૂઝ ચેનલના કેમેરામેન શિવાજી રાવનો રોલ કર્યો હતો. પછી ધીમે ધીમે તેઓ થોડા સમય માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને છે. હવે તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મ વિશે વાત કરી છે. અભિનેતાએ એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ રિલીઝ થયા પછી રાજકીય પક્ષોએ તેમનો સંપર્ક કર્યો હતો.

એક્સપ્રેસોની 12મી સિઝનમાં ઈન્ડિયન એક્સપ્રેસ હિન્દીના એડિટર સૌરભ દ્વિવેદી સાથેની વાતચીત દરમિયાન અનિલ કપૂરે કહ્યું હતું કે હું હંમેશાથી વિદ્યાર્થી રહ્યો છું. હું એક અભિનેતા તરીકે આગળ વધવા માંગુ છું. તેથી મને લાગે છે કે હંમેશાં કોઈ એવું હોય છે જે મારા કરતા વધુ અભિનય વિશે જાણે છે. 

ત્યારબાદ તેમણે કહ્યું કે તેણે તેમના મિત્ર અને જૂના થિયેટર ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન સાથે ‘નાયક’ માટે વાત કરી હતી. મેં વિચાર્યું હતું કે ફિલ્મ (નાયક) માટે તેમની સાથે વર્કશોપ કરું. તેથી હું માહિમમાં તેમની ઑફિસમાં જતો અને ઘણી વર્કશોપ અને રિહર્સલ કરતો. અમે હજી સુધી સાથે કોઇ પ્લે કર્યો નથી. તે મારી બકેટ લિસ્ટમાં છે. અમે એક દિવસ તે કરીશું, જે આશા છે કે ‘નાયક’ કરતા પણ મોટો હશે. 

નાયક ફિલ્મ પછી રાજકીય પક્ષોએ તેમનો સંપર્ક કર્યો હતો

‘નાયક’માં તેમનો અભિનય એટલો જબરદસ્ત હતો કે આ ફિલ્મ જોયા બાદ રાજકીય પક્ષોએ તેમનો સંપર્ક કર્યો હતો. પાર્ટીનું નામ લીધા વિના અનિલ કપૂરે કહ્યું કે થોડી વાતચીત થઈ હતી પરંતુ મેં તેમને શરૂઆતમાં જ રોકી દીધા હતા. એ લોકો પણ સમજદાર હોય છે, જે લોકો તમને આવી ઓફર કરે છે તેઓ સીધા આપતા નથી. આ દરખાસ્ત કોઈ બીજા દ્વારા આવે છે. તેમને ક્યાંકને ક્યાંક અંદાજ હોય છે કે મને આ કામમાં રસ નથી. 

હું જે પણ કરું છું તેમાં મારું 100% આપવા માંગુ છું

અનિલ કપૂરે કહ્યું કે જો હું તે કરું છું તો મારે તે ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કરવું પડશે, પરંતુ મારામાં એટલો દમ નથી કે હું તેમાં પોતાનું સંપૂર્ણ કમિટમેન્ટ આપી શકું. હું જે પણ કરું છું તેમાં હું મારું 100% આપવા માંગુ છું. સ્લમડોગ મિલિયોનેરની રજૂઆત પછી હું જ્યારે અમેરિકામાં હતો ત્યારે યુએનએ મને ઘણી વખત બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું કહ્યું હતું. ક્યારેક-ક્યારેક જ્યારે તમે સિઝનના ફ્લેવર હોવ છો ત્યારે વિશ્વની દરેક સંસ્થા તમારો સંપર્ક કરવા માંગે છે. 

આ પણ વાંચો – શાહિદ કપૂર તૃપ્તિ ડીમરીની ઓ રોમિયો રિલીઝ, એક્શન રોમાન્સથી ભરપૂર મુવી દર્શકોને પસંદ આવશે કે નહિ?

અનિલે દાવો કર્યો હતો કે તે યુનાઇટેડ નેશન્સમાં એક દેખાવવા ખાતર હોદ્દો સ્વીકારીને તેની નવી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાનો લાભ લેવા માંગતો નથી. હું તેને એક ફોટો ઓપ તરીકે ઉપયોગ કરવા માંગતો ન હતો કે તે ચાર ફોટા લઇ લે પછી તમે કશું ના કરો. પરંતુ હમણાં મારી પાસે ઘણી પ્રાથમિકતાઓ છે કે મને નથી લાગતું કે હું તે કરી શકું છું. તેથી હું ઢોંગ કર્યા વિના જે કરી શકું તે કરું છું. રાજ્યસભા અને લોકસભામાં જવા માટે મારાથી વધુ સારા લોકો છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *