પેટ્રોલ, ડીઝલ અને ગેસની સ્થિતિ અંગે પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતનો ઈંધણ પુરવઠો સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે કાચા તેલની સપ્લાય સુરક્ષિત છે અને દૈનિક વપરાશ 55 લાખ બેરલ છે. સરકાર દરેક સ્થિતિ પર નજર રાખી રહી છે અને ઈંધણના વિવિધ સ્ત્રોતોથી કાચા તેલની ખરીદી કરે છે. ભારત 40 દેશોમાંથી કાચું તેલ આયાત કરે છે, જેમાંથી 70 ટકા ફાળો હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના રસ્તેથી આવે છે. આંદાજે 2 કાર્ગો કાચું તેલ લઈને ભારત આવી રહ્યા છે અને રિફાઈનરીઝ પૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે. કેટલીક રિફાઈનરી જ 100 ટકા વધુ ક્ષમતાથી ચાલી રહી છે. આથી, આપણી ક્રૂડ ઓઇલની સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. દૈનિક વપરાશ 189 MMSCMD છે, જેમાંથી 97.5 MMSCMD ભારતમાં અને 91.5 MMSCMD આયાત થાય છે. LPGની 60 ટકા જરૂરિયાત આયાત થતી છે, જેમાંથી 90 ટકા જથ્થો હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે આવે છે. સરકારે કંપનીઓને LPG ઉત્પાદન વધારવા આદેશ કર્યો છે, જેના પરિણામે LPG ઉત્પાદન 25 ટકા વધ્યું છે. ECA લાગુ કરીને ઘરેલુ સિલિન્ડરને પ્રાથમિકતા અપાઈ છે.
