Final Up to date:
સેઠ જુમ્મા લાલ રુઠિયાએ 1917માં બ્રિટિશ પ્રશાસનને 35 હજાર રૂપિયા ઉધારે આપ્યા હતા, જે હવે વ્યાજસહિત કરોડો રૂપિયા થઈ ચૂક્યા છે. તેમના પૌત્ર વિવેક રુઠિયાએ દાવો કર્યો છે કે આ દેવું આજસુધી પરત નથી કર્યું.
Sehore Information: મધ્ય પ્રદેશના સિહોરમાંથી એક અનોખી કહાની સામે આવી છે. અહીં એક પ્રતિષ્ઠિત પરિવારનું બ્રિટિશ સરકાર પર 109 વર્ષ જૂનું લેણું નીકળ્યું છે. જાણકારી અનુસાર, સેઠ જુમ્મા લાલ રુઠિયાએ 1917માં બ્રિટિશ પ્રશાસનને 35 હજાર રૂપિયા ઉધારે આપ્યા હતા, જે હવે વ્યાજસહિત કરોડો રૂપિયા થઈ ચૂક્યા છે. તેમના પૌત્ર વિવેક રુઠિયાએ દાવો કર્યો છે કે આ દેવું આજસુધી પરત નથી કર્યું. હવે આ ઐતિહાસિક દેવાની વસૂલી માટે કાનૂની લડાઈ લડવાની તૈયારી કરી રહ્યા છે. વિવેકનો દાવો છે કે વારસામાં મળેલા દસ્તાવેજ અને વસીયતે આ લેણદેણનો ખુલાસો કર્યો છે.
વિવેક રુઠિયાના જણાવ્યા અનુસાર, તેમના દાદા સેઠ જુમ્મા લાલ એક સફળ વેપારી હતા, જે તે સમયે સિહોરમાં કાપડ અને અનાજનો મોટો વેપાર કરતા હતા. બ્રિટિશ કાળમાં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારને ધનની ભારે જરૂર પડી. સ્થાનિક પ્રશાસને સેઠ જુમ્મા લાલ પાસેથી મદદ માગી અને તેમણે 35 હજાર રૂપિયા ઉધાર આપ્યા. તેના બદલામાં બ્રિટિશ અધિકારીઓએ લેખિત દસ્તાવેજ આપ્યા, જેમાં દેવું ચૂકવવાનો વાયદો કર્યો હતો, પણ આઝાદી બાદ આ મામલો ભુલાવી દેવામાં આવ્યો.
વિવેક રુઠિયાએ જણાવ્યું કે, પરિવારના જૂના કાગળની તપાસ કરતા આ વાત સામે આવી છે. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાનો હવાલો આપતા કહ્યું કે એક સંપ્રભુ રાષ્ટ્ર પોતાના નાણાકીય દાયિત્વોને નજરઅંદાજ નથી કરી શકતું. હવે વિવેક રુઠિયા બ્રિટિશ સરકારને કાનૂની નોટિસ મોકલવાનો પ્લાન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ખાલી પૈસાની વાત નથી, પણ ન્યાય અને ઇતિહાસની છે. 1917ના 35,000 રૂપિયા આજની મુદ્રામાં વ્યાજ સહિત કરોડોમાં થશે.

વિવેક રુઠિયાનું કહેવું છે કે સેઠ જુમ્મા લાલે ઉધારે આપ્યાના લગભગ 20 વર્ષ બાદ એટલે કે 1937માં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ આ દસ્તાવેજ તેમના પુત્ર સેઠ માનક ચંદ્ર રુઠિયા પાસે સચવાઈ રહ્યા. વર્ષ 2013માં તેમના નિધન બાદ આ કાગળ વિવેક રુઠિયા પાસે આવ્યા. વિવેક જણાવે છે કે લગભગ 22 વર્ષ સુધી આ દસ્તાવેજ ઘરમાં જ રહ્યા. પણ હાલમાં પરિવારની અંદર ચર્ચા કરતા આ મામલો સામે આવ્યો છે.
વળી કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે આ મામલો હેગ કોર્ટ અથવા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ શકે છે. પણ પ્રમાણિક દસ્તાવેજોની વૈધતા સાબિત કરવી પડકારભર્યું હશે. રુઠિયા પરિવાર સિહોરનો જાણીતો પરિવાર છે. જે દાન-પુણ્ય અને સામાજિક કાર્યો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. સેઠ જુમ્માલાલે કેટલીય સ્કૂલો અને હોસ્પિટલો બનાવી આપી છે.

