ખાડી દેશોમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિની અસર હવે સામાન્ય માણસની તરસ પર પડવાની છે. પાણીની બોટલ બનાવવા માટે વાપરવામાં આવતા રો મટિરીયલના ભાવમાં વધારો થયો છે. જેથી આગામી સમયમાં પાણીના બોટલોના ભાવમાં વધારો થવાની શક્યતા છે. અનેક પ્લાન્ટ કાચા માલને અભાવે બંધ કરવાની નોબત આવી છે. પાણીની બોટલ માટે વપરાતા પ્લાસ્ટિકના દાણા મુખ્યત્વે ગલ્ફ દેશોમાંથી આયાત કરવામાં આવે છે. યુદ્ધ પહેલા એક કીલો દાણાનો ભાવ 100 રૂપિયા હતો જે ભાવ હવે 200 રૂપિયા પહોંચી ગયો છે. રાજકોટમાં 20 જેટલા પાણીની બોટલના પ્લાન્ટ છે. જેમાથી કેટલાક રો મટિરીયલના અભાવના કારણે બંધ છે.
Source link
