દેશભરમાં એલપીજી ગેસની અછત વર્તાઈ રહી છે. જોકે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે રાંધણ ગેસમાં કોઈ અછત નહી વર્તાઈ. અમદાવાદમાં ગેસ એજન્સીઓની બહાર લોકોની મોટી ભીડ જામી ગઈ હતી. આ ભીડમાં ઉભેલા લોકોએ જણાવ્યું કે બાટલો નોંધાવ્યો હોવા છતા પણ ગેસ તેમને મળી નથી રહ્યો. જેના કારણે લોકોના ઘરમાં ભારે તકલીફ પડી રહી છે. આ સાથે જ લોકો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે એજન્સી દ્વારા બ્લેકમાં બાટલાઓ વેચવામાં આવી રહ્યા છે.
Source link
