એલપીજીની ઘટ સામે કેન્દ્ર સરકાર દ્વારા કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. જેથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીન આપવામાં આવશે. કુલ 1425 કિલો લીટરની ફાળવણી કરવામાં આવી છે. જેમા ગુજરાતના દરેક જિલ્લામાં 36 હજાર લીટરની મર્યાદામાં ફાણવણી કરવામાં આવી છે. ફક્ત ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીનની ફાળવણી કરવામાં આવશે. જરૂરિયાત મુજબ હાઉસ હોલ્ડને 5 લીટર અને સંસ્થાને 25 લીટર કેરોસીન આપી શકાશે. જેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે 2022થી ગુજરાત રાજ્ય કેરોસીન મુક્ત થઈ ગયું છે જેથી કેરોસીનને લઈને ફાળવણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનું વિતરણ કરવામાં આવશે.
Source link
