ગુજરાતમાં ફરી એકવાર કેરોસીનનું વિતરણ થવાનું છે. એલપીજીની ઘટ સામે કેરોસીનની એન્ટ્રી થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં કેરોસીનનું વિતરણ થશે જેમા સરકાર પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપશે. જ્યારે સંસ્થાને 25 લીટર કેરોસીન આપવામાં આવશે. ટૂંક સમયમાં ફરી એકવાર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. રેશન કાર્ડ ધારકોને પહેલા સબસીડી સાથે કેરોસીન આપવામાં આવતું હતું. જોકે એલપીજી અને પીએનજી આવ્યા બાદ કેરોસીનનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. 2022માં ગુજરાત સંપૂર્ણ કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું હતું. જોકે હવે ફરી એકવાર રાજ્યમાં કેરોસીનનું વિતરણ કરવામાં આવશે.
Source link
