PM Modi at Kolkata : પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળમાં 18,680 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. ટીએમસી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પીએમ મોદીએ પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તમારો ઉત્સાહ, જોશ એ જણાવી રહ્યો છે કે બંગાળ શું વિચારી રહ્યું છે, બંગાળના મનમાં શું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ઇતિહાસનું સાક્ષી છે કે, જ્યારે-જ્યારે બંગાળ દેશને દિશા આપે છે ત્યારે આ બ્રિગેડ ગ્રાઉન્ડ બંગાળનો અવાજ બને છે.
પીએમ મોદીએ કહ્યું કે બ્રિગેડ ગ્રાઉન્ડથી બ્રિટિશ શાસન વિરુદ્ધ ઉઠાવવામાં આવેલો અવાજ હિન્દુસ્તાનમાં ક્રાંતિ બની ગયો હતો. પરિણામ એ આવ્યું કે અંગ્રેજોના અત્યાચારો અને લૂંટનો અંત આવ્યો. આજે ફરી એક વખત બ્રિગેડ ગ્રાઉન્ડ પરથી નવા બંગાળ ક્રાંતિનું બ્યુગલ ફૂંકાયું છે. બંગાળમાં પરિવર્તન હવે દિવાલો પર લખાઈ ગયું છે અને બંગાળના લોકોના હૃદયમાં પણ અંકિત થઈ ગયું છે. હવે બંગાળમાંથી નિર્મમ સરકારનો અંત થઇને રહેશે. હવે બંગાળમાંથી મહાજંગલરાજનો અંત આવશે. તેથી જ બંગાળના દરેક ખૂણેથી અવાજો ઉઠી રહ્યા છે – ચાઇ બીજેપી સરકાર, અબકી બાર.
ટીએમસીના કોઈ અત્યાચારીને છોડવામાં નહીં આવે: પીએમ મોદી
પીએમ મોદીએ ટીએમસી પર આરોપ લગાવતા કહ્યું કે ગઈકાલે ટીએમસીએ આ રેલીમાં આવેલા તમામ લોકોને ચોર કહીને ગાળો આપી છે. બંગાળના પ્રબુદ્ધ લોકો જાણે છે કે અસલી ચોર કોણ છે. પોતાની ખુરશી જતી જોઈને અહીંની નિર્મમ સરકાર રઘવાઇ થઈ ગઈ છે. આજે પણ નિર્મમ સરકારે આ સભાને રોકવા માટે તેના તમામ શસ્ત્રો બહાર કાઢ્યા છે. લોકોને આવતા રોકવા માટે તેમણે બ્રિજ બંધ કર્યા, વાહનો રોક્યા, ટ્રાફિક જામ કર્યો, ભાજપના ધ્વજ ઉખાડી નાખ્યા, પોસ્ટરો ફાડી નાખ્યા. પરંતુ નિર્મમસરકાર આજના જનસૈલાબને રોકી શકી નથી.
તેમણે કહ્યું કે બંગાળમાં મહાજંગલરાજ લાવનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એ દિવસ દૂર નથી જ્યારે બંગાળમાં ફરીથી કાયદાનું શાસન શરૂ થશે. જે લોકો કાયદો તોડે છે, જે અત્યાચાર કરે છે, ટીએમસીના કોઈ અત્યાચારીને છોડવામાં આવશે નહીં. અહીંની નિર્મમ સરકાર હવે ગમે તેટલું જોર લગાવે, તે પરિવર્તનના આ આંધીને હવે રોકી શકશે નહીં. ભાજપ અને એનડીએ સાથે મહિષાસુર મર્દિનીના આશીર્વાદ છે.
આ પણ વાંચો – કાશીરામને લઇને રાહુલ ગાંધી પર ભડક્યા માયાવતી, કહ્યું – કોંગ્રેસની માનસિકતાના કારણે જ બસપા બનાવવી પડી હતી
પીએમ મોદીએ કહ્યું કે શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઋષિ બંકીમચંદ્ર, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ખુદીરામ બોઝ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવી તમામ મહાન હસ્તીઓએ જે બંગાળની કલ્પના કરી હતી ભાજપની સરકાર તે બંગાળું નિર્માણ કરશે. તેમણે કહ્યું કે એક સમયે બંગાળ સમગ્ર ભારતને વેગ આપતું હતું, બંગાળ વેપાર અને ઉદ્યોગોમાં મોખરે હતું, પરંતુ આજે અહીંના યુવાનો ડિગ્રી મેળવી શકતા છે અને રોજગાર મેળવી શકતા નથી.
ખેડૂતોને ખોટા વચનો આપવા એ ટીએમસીની ઓળખ છે
પીએમ મોદીએ કહ્યું કે તમારા દીકરા-દીકરીઓને કામની શોધમાં બીજા રાજ્યોમાં સ્થળાંતર કરવું પડે છે. દેશવાસીઓને મફત વીજળી પૂરી પાડવા માટે અમે પીએમ સૂર્યઘર ફ્રી બિજલી યોજના શરૂ કરી છે. કેન્દ્રની ભાજપ સરકાર આ માટે દરેક લાભાર્થીને 75,000 થી 80,000 રૂપિયા આપે છે. જે લાભાર્થી આ યોજના સાથે જોડાય છે, તેના ઘરનું વીજળીનું બિલ શૂન્ય થઈ જાય છે. પરંતુ બંગાળ સરકાર તેને પણ લાગુ થવા દેતી નથી.
Talking at a large BJP rally in Kolkata. Throughout West Bengal, individuals are rising in anger towards TMC’s corruption, minimize cash syndicates, violence and years of misrule.@BJP4Bengalhttps://t.co/Hlv692DsOE
— Narendra Modi (@narendramodi) March 14, 2026
તેમણે કહ્યું કે ટીએમસીની આ સરકાર પોતાની સ્વાર્થ રાજનીતિને કારણે અહીં આયુષ્માન ભારત યોજના પણ લાગુ કરી રહી નથી. આ યોજના હેઠળ દેશભરના કરોડો લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે. આપ સૌને પણ આ લાભ મળવો જોઈએ. પરંતુ ટીએમસી સરકાર દ્વારા બંગાળના પરિવારોને પણ આ યોજનાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. આજે બંગાળના ખેડૂતની હાલત પણ કોઈનાથી છુપાયેલી નથી. ખેડૂતોને ખોટા વચનો અને સરકારી ખરીદીમાં કૌભાંડો ટીએમસીની ઓળખ બની ગયા છે.
