Final Up to date:
Paid Interval Go away India: ભારતમાં પેડ પીરિયડ લીવની મોડ હાલ નિર્ણાયક તબક્કામાં છે. રંજિતા પ્રિયદર્શિનીના સંઘર્ષથી ઓડિશા અને કર્ણાટકમાં મહિલાઓને પેડ પીરિયડ લીવનો અધિકારી મળી ચૂક્યો છે. ત્યારે જાણો શું છે સમગ્ર વિવાદ.
Paid Interval Go away India: ભારતમાં પેડ પીરિયડ લીવ (Paid Interval Go away) મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂક્યો છે. જ્યાં એક બાજુ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કાયદો બનાવવાની ગૂગલી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફ ફેંકી છે, તો બીજી બાજુ રસ્તાઓ પર અને સોશિયલ મીડિયા પર આ આંદોલને વધુ વેગ પકડ્યો છે. ત્યારે રંજિતા પ્રિયદર્શિની આ સમગ્ર અભિયાનનો ચહેરો બનીને ઉભરી છે, જે છેલ્લા ત્રણ વર્ષથી હાર માન્યા વગર મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સવેતન રજાનો અધિકાર અપાવવા માટે સંઘર્ષ કરી રહી છે. ચાલો હવે જાણીએ કોણ છે રંજિતા અને આ વિશાળ આંદોલન શરૂ કરવા પાછળની કહાની શું છે.
આ અભિયાનની શરૂઆત રંજિતાના એક કડવા અનુભવ સાથે શરૂ થઈ હતી. વર્ષ 2022માં જ્યારે રંજિતાએ પીરિયડમાં થતી અસહ્ય પીડા દરમિયાન ઓફિસમાંથી રજા માગી તો તેને સપોર્ટને બદલે અપમાન અને રાજીનામું આપવાના દબાણનો સામનો કરવો પડ્યો. જોકે, તેણે હાર માનવા કરતા નોકરી છોડીને પેડ પીરિયડ લીવ (PPL) કેમ્પેઈનની શરૂઆત કરી. જે લડાઈ એક ઓફિસથી શરૂ થઈ હતી તે આજે ભારતના 23 રાજ્યો સહિત 6 અન્ય દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે.
રંજિતાએ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના સંમેલનોમાં ભાગ લઈને નૈરોબીથી લઈને ન્યૂયોર્ક સુધી પેડ પીરિયડ લીવની માંગને હ્યુમન રાઇટ્સ અને વર્કપ્લેસ ડિગ્નિટીના રૂપે રજૂ કરી છે. થાઈલેન્ડ, મલેશિયા અને બ્રિટન જેવા દેશોમાં પણ તેણે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ચર્ચા શરૂ કરી છે, જેનાથી હવે આ મુદ્દો ભારતની સાથે-સાથે એક ગ્લોબલ ઈશ્યૂ બની ગયો છે.
સુપ્રીમ કોર્ટે ભલે આ મુદ્દાને નીતિગત વિષય બતાવીને હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હોય, પરંતુ રંજિતાની સતત માગની અસર સરકારી નીતિઓમાં દેખાવા લાગી છે. ઓડિશાએ 2024 માં નોકરી કરતી મહિલાઓ માટે આ રજાઓને લાગુ કરી છે. 2025 માં કર્ણાટકમાં 12 દિવસની વાર્ષિક પેડ પીરિયડ લીવની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ તો, વર્તમાન સમયમાં દેશની 64 મોટી સંસ્થાઓ અને 27 આંતરરાષ્ટ્રીય સંગઠન આ નીતિને અપનાવી ચૂક્યા છે.
Mar 15, 2026 11:26 AM IST

