અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઇને રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું – પીએમ મોદી અને તેમની સરકાર જૂઠ બોલવામાં નિષ્ણાત

અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઇને રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું – પીએમ મોદી અને તેમની સરકાર જૂઠ બોલવામાં નિષ્ણાત

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


India-US commerce deal : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે શનિવારે કહ્યું કે દૂરદર્શી અને રાષ્ટ્રીય હિતમાં વિચારનાર કોઇ સરકાર અમેરિકા સાથે કપાસના ખેડૂતો અને કાપડની નિકાસ બંનેના હિતોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માટે ટ્રેડ ડીલ કરત. તેમણે કહ્યું કે મોદી સરકારે તેનાથી વિપરીત કર્યું છે.

18 ટકા વિરુદ્ધ શૂન્ય ટકા ટેરિફ

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સરકારે વેપાર કરારના આ પાસાઓને પણ છુપાવ્યા છે. રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે 18 ટકા વિરુદ્ધ શૂન્ય ટકા ટેરિફ. જૂઠું બોલવામાં નિષ્ણાત વડાપ્રધાન અને તેમની કેબિનેટ આ અંગે ભ્રમ ફેલાવી રહી છે. તેઓ કેવી રીતે ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી દેશના કપાસ ઉત્પાદકો અને કાપડ નિકાસકારોને છેતરી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે બાંગ્લાદેશને અમેરિકામાં ટેક્સટાઇલ નિકાસ પર શૂન્ય ટકા ટેરિફનો લાભ આપવામાં આવી રહ્યો છે, માત્ર એ શરતે કે તેઓ અમેરિકન કપાસની આયાત કરે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય ગારમેન્ટ્સ પર 18 ટકા ડ્યૂટીની જાહેરાત બાદ જ્યારે મેં સંસદમાં બાંગ્લાદેશને આપવામાં આવી રહેલી વિશેષ છૂટ પર સવાલ ઉઠાવ્યા ત્યારે મોદી સરકારના મંત્રીનો જવાબ આવ્યો કે જો આપણે પણ આ જ લાભ જોઈએ છે તો અમેરિકાથી કપાસની આયાત કરવી પડશે. 

રાહુલ ગાંધીએ બાંગ્લાદેશનો ઉલ્લેખ કર્યો

રાહુલે સવાલ કર્યો કે આ બાબત દેશથી કેમ છુપાવવામાં આવી છે? રાહુલ ગાંધીએ કહ્યું કે આ કેવા પ્રકારની નીતિ છે? શું તે ખરેખર કોઈ વિકલ્પ છે – અથવા આગળ કૂવા અને પાછળ ખાઇની સ્થિતિમાં ફસાવવાળી જાળ છે? જો આપણે અમેરિકન કપાસની આયાત કરીશું તો આપણા પોતાના ખેડૂતો બરબાદ થઈ જશે. જો નહીં મંગાવીએ તો આપણો ટેક્સટાઇલ ઉદ્યોગ પાછળ રહી જશે અને બરબાદ થઈ જશે. હવે બાંગ્લાદેશ સંકેત આપી રહ્યું છે કે તે ભારતમાંથી કપાસની આયાત પણ ઘટાડી શકે છે અથવા બંધ કરી શકે છે. 

આ પણ વાંચો – ગુવાહાટીમાં પીએમ મોદીએ કહ્યું – નોર્થ ઇસ્ટ અમારા માટે અષ્ટલક્ષ્મી, કોંગ્રેસ દ્વારા હંમેશા અવગણના કરવામાં આવી

રાહુલ ગાંધીએ કહ્યું કે કાપડ ઉદ્યોગ અને કપાસની ખેતી ભારતમાં આજીવિકાની કરોડરજ્જુ છે અને કરોડો લોકોની આજીવિકા તેમના પર નિર્ભર છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રને ફટકો પડવાનો અર્થ એ છે કે લાખો પરિવારોને બેરોજગારી અને આર્થિક સંકટની ખાઇમાં ધકેલી દેવા. 

તેમણે કહ્યું કે એક સ્વપ્નદ્રષ્ટા અને રાષ્ટ્રીય હિતમાં વિચારનારી સરકારે એવી ડીલ કરી હોત જે કપાસના ખેડૂતો અને કાપડ નિકાસકારો બંનેના હિતોનું રક્ષણ અને સમૃદ્ધિ સુનિશ્ચિત થાત. તેમણે દાવો કર્યો હતો કે તેનાથી ઊલટું નરેન્દ્ર મોદીએ આત્મસમર્પણ કર્યું, મોદી અને તેમના મંત્રીઓએ એક સમાધાન કર્યું છે જે બંને ક્ષેત્રો માટે ખૂબ જ દુ:ખદાયક સાબિત થઈ શકે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *