અમદાવાદમાં સુભાષ બ્રિજ ક્ષતી ગ્રસ્ત થયા બાદ અચાનકથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે આ મામલે એવી માહિતી સામે આવી છે કે 9 મહિનામાં આ બ્રિજ શરૂ થઈ જશે. જોકે નવા સુભાષબ્રિજ માટે તમારે 2 વર્ષની રાહ જોવી પડશે જેનો એનીમેટેડ વીડિયો તમે જોઈ શકો છો. પરંતુ હાલના બ્રિજને મજબૂતી સાથે નિર્માણ કરીને આગામી 9 મહિનામાં એટલે કે 2027ની શરૂઆત સુધીમાં ખુલ્લુ મુકી દેવામાં આવશે. 4 ડિસેમ્બરથી આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે તંત્ર દ્વારા આ બ્રિજને ફરીથી શરૂ કરવા ટેન્ડર પાસ કર્યા બાદ પૂરજોશમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
Source link
