અજિત પવારનું નિધન કે હત્યા? રોહિત અને જય પવાર બાદ સુપ્રિયા સુલેની પોસ્ટથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ

અજિત પવારનું નિધન કે હત્યા? રોહિત અને જય પવાર બાદ સુપ્રિયા સુલેની પોસ્ટથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Supriya Sule on Ajit Pawar Aircraft Crash: અજિત પવારના વિમાન દુર્ઘટના પાછળ આગ લગાડવાની શંકા વ્યક્ત કરતાં ધારાસભ્ય રોહિત પવારે અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે નારજગી વ્યક્ત કરી હતી કે તપાસ વ્યવસ્થા ધીમી છે અને અજિત પવાર જેવા મોટા નેતાના આકસ્મિક મોત બાદ પણ તપાસ ઝડપી બની નથી. આ ઉપરાંત વિમાનનું બ્લેક બોક્સ બળી ગયું હોવાની માહિતી સામે આવ્યા બાદ અજિત પવારના પુત્ર જય પવારે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હવે સાંસદ સુપ્રિયા સુલેએ પોતાના ટ્વિટર (X) એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને આ મામલો પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. 

જ્યારે રોહિત પવારની પ્રેસ કોન્ફરન્સની ચર્ચા થઇ રહી હતી ત્યારે પવાર પરિવારના અન્ય સભ્યો તેના પર વધુ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા ન હતા. પરંતુ હવે જય પવાર પછી સુપ્રિયા સુલેએ પણ તેના પર ટિપ્પણી કરી છે.

સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?

સુપ્રિયા સુલેએ એક્સ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, અજિત પવારના આકસ્મિક મૃત્યુ પથી મહારાષ્ટ્ર આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર અનેક શંકાઓ અને શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જાહેર લાગણી ખૂબ જ મજબૂત છે લોકો હજુ પણ શોકમાં છે. આ પૃષ્ઠભૂમિ સામે ધારાસભ્ય રોહિત પવાર ૂબ જ વિદ્ધતાપૂર્ણ રીતે કેટલાક મુદ્દાઓ, તથ્યો અને શંકા ઉઠાવી રહ્યા છે. જનતાને તેમના જવાબો મળવા જ જોઇએ. 

સુપ્રિયા સુલેએ વધુમાં કહ્યું કે, જો સિસ્ટમ આ જવાબો મેળવવામાં લાંબો સમય લઇ રહી છે તો અશાંતિ વધુ વધશે. તેને વધતી અટકાવવા માટે આ ઘટનાનું સત્ય પારદર્શક રીતે લોકો સમક્ષ આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સિસ્ટમને પ્રશ્નો પુછવા એ બંધારણ દ્વારા દરેક ભારતીયને આપવામાં આવેલ અધિકાર છે. 

રોહિત સિસ્ટમ સમક્ષ લોકોના મનમાં શંકાઓ અને ઉઠી રહેલા પ્રશ્નોના જવાબ માંગી રહ્યો છે. આ બધી પૃષ્ઠભૂમિમાં તેને સુરક્ષા મળવી ખૂબ જ મહત્વ પૂર્ણ છે અને રાજ્ય સરકારે તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લેવી જોઇએ.  

પવાર પરિવારમાં ઉઠ્યા વિરોધના સૂર: રોહિત અને જય પવારની શંકા

રોહિત પવારનો પક્ષ

રોહિત પવારે 9 ફેબ્રુઆરીએ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અજિત પવાર વિમાન દુર્ઘટના પાછળ કોઇ ગોટાળાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે 17 ફેબ્રુઆરીએ બીજી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વિમાન દુર્ઘટનાની તપાસ, બ્લેક બોક્સ બળી ગયા હોવાના દાવાઓ અને અન્ય શંકાઓ પર શંકા વ્યક્ત કરી હતી. 

જય પવારની પોસ્ટ

આ પછી જય પવારે પણ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેટસ શેર કર્યું હતું અને કહ્યું હતું કે બ્લેક બોક્સનો નાશ કરી શકાતો નથી. આ કારણે રોહિત પવાર પછી પવાર પરિવાના અન્ય લોકો પણ બોલતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો | સંજય રાઉતે બ્લેક બોક્સ સળગાવવાને ગંભીર બાબત ગણાવી, સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા

અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્રમાં તણાવની સ્થિતિ

અજિત પવારના આકસ્મિક નિધનથી મહારાષ્ટ્રમાં રાજકીય તણાણ જેવી સ્થિતિ છે. મોત કે કોઇ ષડયંત્ર વિશે રાજકીય ગલીઓમાં શંકા કુશંકાઓ અને ચર્ચાઓ તેજ બની છે. અજિત પવારના બાદ એમની રાજકીય પાર્ટી કોની સાથે જશે? શું પવાર પરિવાર ફરી એકવાર એક રાજકીય મંચ પર આવશે? આ સહિત અનેક સવાલો ઉઠી રહ્યા છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *