ફાઈનલ પહેલાં હનુમાન દાદાનાં દર્શન કર્યાં અને જીત માટે આશીર્વાદ લીધા… હનુમાનજીની કૃપા એવી વરસી કે 96 રનથી ફાઈનલ જીતી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો. એટલે ફરી ટ્રોફી સાથે જય શાહ, ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ હનુમાન દાદાના દર્શને પહોંચી ગયા. સ્ટેડિયમ પરિસરમાં આવેલા હનુમાન દાદાના મંદિરના પૂજારીએ જણાવ્યું કે ક્રિકેટરોની જેમ જય શાહ પણ મેચ પહેલાં દર્શને આપ્યા હતા અને કહ્યું હતું કે જીતીશું તો ટ્રોફી સાથે શિશ ઝૂકાવવા આવીશું… દાદાના આશીર્વાદ ફળ્યા અને રવિવારે રાત્રે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 96 રનથી શાનદાર જીત મેળવી. આથી તરત જ ICC ચેરમેન જય શાહ, હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ ટ્રોફી સાથે દર્શને પહોંચ્યા હતા.
Source link
